નીલ કુસુમ મર્ડરઃયુવતીની 51 વખત સ્ક્રુડ્રાઈવર મારી હત્યા, ભાગતો ફરતો આરોપી ઝડપાયો

છત્તીસગઢના કોરબામાં પ્રેમિકા નીલ કુસુમ પન્નાની 51 વાર સ્ક્રુડ્રાઈવર મારીને હત્યા કરનાર પ્રેમી શાહબાઝ ખાનની ધરપકડ કરવામાં આવી છે. કોરબા પોલીસે રાજનાંદગાંવથી તેની ધરપકડ કરી હતી. આરોપીઓએ નીલની ઘાતકી હત્યા કરી હતી. ઘટનાસ્થળેથી પોલીસને શાહબાઝના નામની ફ્લાઈટ અને બસની ટિકિટ અને કેટલાક કપડા મળ્યા છે.

24 ડિસેમ્બરની સવારે 20 વર્ષની નીલની તેના પ્રેમી શાહબાઝ ખાને હત્યા કરી હતી. શાહબાઝ હત્યાને અંજામ આપવા માટે સૂરજથી રાયપુર ફ્લાઈટમાં આવ્યો હતો. આ પછી તે બસ દ્વારા કોરબા આવ્યો હતો અને ઘરમાં ઘુસીને નીલની હત્યા કર્યા બાદ 27 વર્ષીય શાહબાઝ ભાગી ગયો હતો.

એવું કહેવામાં આવ્યું હતું કે, કોરબા પોલીસની ચાર ટીમો હત્યારા શાહબાઝની શોધમાં લાગેલી છે. આજે તેની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

કોરબામાં સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (SECL)ની રહેણાંક કોલોનીમાં એક ઘરમાંથી 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. કોરબાના સિટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ વિશ્વદીપક ત્રિપાઠીએ જણાવ્યું કે 24 ડિસેમ્બર એટલે કે, શનિવારે નીલ કુસુમ પન્ના નામની છોકરીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેની લોહીથી લથપથ લાશ ઘરના રૂમમાંથી મળી આવી હતી.

ઘટના બાદ પોલીસે નીલ કુસુમ પન્નાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જેની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આરોપીએ તેના શરીર પર તિક્ષ્ણ હથિયાર એટલે કે સ્ક્રુડ્રાઈવર વડે 51 વાર હુમલો કર્યો હતો. તેને ખુબ જ નિર્દયતાથી મારવામાં આવી હતી. આ દરમિયાન આરોપી શાહબાઝે નીલનો ચહેરો ઓશીકા વડે દબાવી રાખ્યો હતો, જેથી તેનો અવાજ કોઈ સાંભળી ન જાય. પછી તેણે નીલના શરીર પર સ્ક્રુડ્રાઈવર વડે ઘા કર્યા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, નીલની છાતી, ગળા, ચહેરા અને પીઠ પર કુલ 51 ઊંડા ઘા મળી આવ્યા છે. ઘટના દરમિયાન યુવતીને બચાવવા માટે સંઘર્ષ પણ કર્યો હતો, જેના કારણે તેના હાથ પર ધારદાર હથિયારથી ઈજા પહોંચાડાઇ હતી. હત્યારાએ નીલનું મોં ઓશીકું વડે દબાવી રાખ્યું હતું, જેથી તે અવાજ ન કરી શકે.

પોલીસની તપાસમાં એ વાત સામે આવી છે કે, લવ ટ્રાયંગલના કારણે નીલની હત્યા થઈ હોવી જોઈએ. તે શાહબાઝ ખાન નામના યુવક સાથે સતત વાત કરતી હતી. આ દરમિયાન નીલ જશપુરના એક યુવકના સંપર્કમાં પણ આવી હતી. તે તેની સાથે પણ સતત વાત કરતી હતી. બાદમાં નીલે શાહબાઝ ખાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ શાહબાઝ તેને સતત ફોન કર્યા કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં કામ કરતો શાહબાઝ ફ્લાઇટ દ્વારા રાયપુર આવ્યો હતો. ત્યાંથી તેણે બસમાં કોરબા સુધીની મુસાફરી કરી. ત્યારબાદ ઘરમાં ઘુસીને તેણે નીલની હત્યા કરી હતી અને ભાગી ગયો હતો. પોલીસે એમ પણ કહ્યું હતું કે, ઘરના સભ્યો પોતપોતાના કામ માટે ક્યારે નીકળે છે તે આરોપીને ખબર હતી.

હત્યા સવારે આઠથી બપોરે 12.30 વાગ્યાની વચ્ચે કરવામાં આવી હતી. બપોરે જ્યારે નીલનો ભાઈ નિતેશ ઘરે પાછો આવ્યો ત્યારે તેણે રૂમમાં લોહીલુહાણ લાશ પડેલી જોઈ. હાલમાં હત્યાની આશંકા ધરાવતા યુવક શાહબાઝ ખાનની શોધ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે, શાહબાઝ ખાનના પકડાયા બાદ જ હત્યા પાછળનું સાચું કારણ બહાર આવશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.