પાડોશીએ પાલતુ કૂતરાને 'કૂતરો' કહ્યો, માલિકને આવ્યો ગુસ્સો, વૃદ્ધને મારી નાંખ્યો

અચાનક આપણા સમાજમાં કુતરાઓએ માણસો સાથે જે નિકટતા બનાવી છે, તે માણસનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ નહીં પણ માનસિક વિકલાંગતા દર્શાવે છે. ભૂખ્યા નિ:સહાય વ્યક્તિને બે ટાઈમનું જમવાનું ન આપી શકનાર વ્યક્તિ દરરોજ રસ્તાના કૂતરાઓને બિસ્કિટ સહિતનો તમામ પ્રકારનું ખાવાનું ખવડાવતો જોવા મળે છે, કૂતરાને સવાર-સાંજ સાથે ફેરવવા લઇ જતા જોવા મળે છે. જેમ કે કૂતરો તેમના જીવનમાં માનવીનો વિકલ્પ બની ગયો ન હોય.

તમિલનાડુના ડિંડીગુલ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેના પાલતુ કુતરાના નામને લઈને તેના જ પાડોશીની નિર્દયતાથી હત્યા કરી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વ્યક્તિ તેના પાલતુ કૂતરાને કૂતરો કહેવાથી ખૂબ જ ગુસ્સે હતો, જેના કારણે તેણે તેની પડોશમાં રહેતા વૃદ્ધની હત્યા કરી નાખી. આ સમાચાર આવ્યા બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે, 62 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું, જેની ઓળખ રાયપ્પન તરીકે કરવામાં આવી છે. તે આરોપીનો પાડોશી હતો. જે દિવસે ઘટના બની તે દિવસે રાયપ્પન તેના પૌત્ર સાથે ખેતરમાં હતો અને તેણે તેના પૌત્ર કેલ્વિનને પાણીનો પંપ બંધ કરવાનું કહ્યું અને 'પેલાનો કૂતરો આવી શકે તેમ છે' તે માટે લાકડી લાવવા કહ્યું.

આ દરમિયાન કૂતરાના માલિક ડેનિયલ ત્યાં હાજર હતો. તેણે રાયપ્પનની વાત સાંભળી અને ગુસ્સે થઈ ગયો. પહેલા તો તેણે વૃદ્ધ રાયપ્પન પર ખરાબ રીતે બૂમો પાડી કે, તેના કૂતરાને કૂતરો કહેવાની તેની હિંમત કેવી રીતે થઈ. ગુસ્સામાં આવીને ડેનિયલ રાયપ્પનને ખરાબ રીતે મારવા લાગ્યો અને તેની છાતીમાં મુક્કો માર્યો. મુક્કો મારતી વખતે તે સતત બૂમો પાડી રહ્યો હતો, તમને તેને કૂતરો ન કહેવાની કેટલી વાર સૂચના આપી છે. છાતીમાં જોરથી મુક્કો માર્યા બાદ રાયપ્પન જમીન પર પડી ગયો, ગુસ્સે ભરાયેલા ડેનિયલ્સે રાયપ્પનને છાતીમાં બીજો જોરથી મુક્કો માર્યો અને તે નીચે પડી ગયો. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મૃતકના પરિવારજનોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. મામલાની નોંધ લઈને પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, ઘટના બાદ આરોપી અને તેનો પરિવાર ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, પોલીસે શુક્રવારે નિર્મલા ફાતિમા રાની અને તેના પુત્રો ડેનિયલ અને વિન્સેન્ટની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીના પરિવાર વતી પીડિત પરિવારને ઘણી વખત સૂચના આપવામાં આવી હતી કે જ્યારે કૂતરાના માલિકને તેના પાલતુ કૂતરાને 'કૂતરો' કહેવામાં આવે છે ત્યારે તે ખુબ ગુસ્સે થઈ જાય છે. આવી સ્થિતિમાં, પરિવારે પડોશીઓને ઘણી વખત ચેતવણી આપી હતી કે તેઓ તેમના પાલતુ પ્રાણીને કૂતરો ન કહે.

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા જગાવી છે કે, જ્યાં લોકો પોતાના માતા-પિતા અને ઘરના વડીલોનું પણ સન્માન નથી કરતા, ત્યાં તેમને કૂતરા સાથે આ પ્રકારનું લગાવ કેમ થઈ રહ્યું છે. આ આધુનિક યુગમાં, લોકો ઝડપથી પ્રગતિ કરવા માંગે છે અને તેથી તેમની પાસે તેમના મિત્રો, સંબંધીઓ માટે ઓછો સમય છે, અને કદાચ તેઓ કૂતરાઓ દ્વારા તેની ભરપાઈ કરી રહ્યા છે. તે એકલતાનો સાથી પણ છે, માંગણી કરતો નથી અને તેમની અંગત વાતોમાં દખલ દેતો નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.