દેવબંદનું નવું ફરમાન, દારુલ ઉલૂમનો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી નહીં ભણે

ઇસ્લામિક શિક્ષણના વિશ્વ પ્રસિદ્ધ કેન્દ્ર દારુલ ઉલૂમ દેવબંદે વિદ્યાર્થીઓ માટે નવો આદેશ જાહેર કર્યો છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓએ દારુલ ઉલૂમમાં શિક્ષણ મેળવતી વખતે અંગ્રેજી કે અન્ય શિક્ષણથી દૂર રહેવું પડશે, નહીં તો આવા વિદ્યાર્થીઓને સંસ્થામાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. તેના પર ઉત્તર પ્રદેશ સરકારના જળ સંસાધન મંત્રી સ્વતંત્ર દેવ સિંહે ઉલેમાઓને સલાહ આપતા કહ્યું છે કે, દેશના મુસ્લિમ વિદ્યાર્થીઓ PM નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ રાખે છે. તે લોકોના કહેવાથી ગેરમાર્ગે દોરાશે નહીં. તે ચોક્કસપણે અંગ્રેજીનું શિક્ષણ લેશે. સબકા સાથ સબકા વિકાસની નીતિને અનુસરીને PM નરેન્દ્ર મોદીજીએ દરેક વર્ગનો વિકાસ કર્યો છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. દેશની જનતાએ હમણાંથી જ PM નરેન્દ્ર મોદીજીને આગામી PM તરીકે સિલેક્ટ કરી લીધા છે.

વિદ્યાર્થીઓ માટે આ નવું ફરમાન બહાર પાડતી વખતે દારુલ ઉલૂમના શિક્ષણ વિભાગના પ્રભારી મૌલાના હુસૈન હરિદ્વારીએ જણાવ્યું હતું કે, દારુલ ઉલૂમમાં શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓને અંગ્રેજી વગેરે જેવી અન્ય કોઈ શિક્ષણની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ વિદ્યાર્થી આમાં સંડોવાયેલો જણાશે અથવા વિદ્યાર્થીની સંડોવણી છૂપી રીતે સામે આવશે તો આવા વિદ્યાર્થીને હાંકી કાઢવામાં આવશે. આ આદેશ એવા વિદ્યાર્થીઓ માટે મોટો ફટકો છે કે, જેઓ દારુલ ઉલૂમમાં ધાર્મિક શિક્ષણ લેવાની સાથે સાથે ખાનગી રીતે અંગ્રેજી બોલવાના અભ્યાસક્રમો અથવા આધુનિક શિક્ષણ સાથે સંબંધિત અન્ય વિષયોનો અભ્યાસ કરવા ઈચ્છે છે.

દારૂલ ઉલૂમ દ્વારા વિદ્યાર્થીઓના નામે બહાર પડાયેલા આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો વિદ્યાર્થી વર્ગના સમયે રૂમમાં જોવા મળે છે. હાજરી નોંધાવ્યા પછી પીરિયડ પૂરો થાય તે પહેલા વર્ગ છોડી દેનાર અથવા માત્ર હાજરી પુરાવવા પૂરતા જ પીરિયડના અંતે વર્ગમાં આવનાર આવા વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દારુલ ઉલૂમ દેવબંદના માસ્ટર અને જમિયત ઉલમા-એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ પણ આ મામલે વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે. મદનીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, મદરેસા અમારો ધર્મ છે, અમારી દુનિયા નથી. એટલા માટે તમે પહેલા સારા આલીમ-એ-દીન બનો અને પછી ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ બનો, કારણ કે જે બે હોડીમાં સવાર થાય છે તે ક્યારેય પોતાની મંજિલ સુધી પહોંચી શકતો નથી. મદનીએ એમ પણ કહ્યું હતું કે, શિક્ષણ મેળવીને તમારું જીવન ઉજ્જવળ બનાવો.

વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ સંસ્થામાં ચાલતા અભ્યાસ પર તેમનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે. તેમણે કહ્યું કે, દારુલ ઉલૂમ દેવબંધ અંગ્રેજી, કોમ્પ્યુટર કે આધુનિક શિક્ષણનો વિરોધ કરતું નથી, પરંતુ કાયદેસર રીતે સંસ્થાની અંદર આના માટે અલગ વિભાગો છે. જ્યાં વિદ્યાર્થીઓ આમાં એડમિશન લઈને શિક્ષણ મેળવે છે, પરંતુ બહાર કે પોતાની રીતે શિક્ષણ મેળવવાના કારણે વિદ્યાર્થીઓ દારુલ ઉલૂમ દેવબંદમાં એડમિશન લેવા માટે ભટકતા હોય છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલા માટે વિદ્યાર્થીઓએ જે શિક્ષણ માટે અહીં એડમિશન લીધું છે તે જ શિક્ષણ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.