નવા ભારતને મદરેસાની જરૂર નથી, આસામમાં તાળા લાગશે: CM હિંમતા સરમા

વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ કર્ણાટકમાં એક વિવાદીત નિવેદન કરીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, નવા ભારતને મદરેસાની જરૂર નથી. નવા ભારતને શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીની જરૂર છે.

કર્ણાટકના બેલગાવીમાં શુક્રવારે એક જનસભાને સંબોધન કરતી વખતે આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ કહ્યુ કે, તેઓ તેમના રાજ્ય આસામમાં બધી મદરેસાઓ બંધ કરી દેવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની સરકાર આ પહેલાં 600 મદરેસાને તાળા લગાવી ચૂકી છે હવે બાકી બચેલી મદરેસાને ટુંક સમયમાં જ બંધ કરી દેવામાં આવશે. તેમણે કહ્યુ કે અમને મદરેસા નથી જોઇતી અમને એન્જિનિયર્સ અને ડોકટર્સ જોઇએ છે.

ભૂતકાળમાં પણ હિંમતા બિસ્વા સરમા અનેક વખત મદરેસાની સંખ્યા ઓછી કરવા માટે અહીં આપવામાં આવતા શિક્ષણની સમીક્ષા કરવાનો ઇરાદો જાહેર કરતા રહ્યા છે. આસામમાં અત્યારે 3,000 રજિસ્ટર્જ અને અનરજિસ્ટર્જ મદરેસા ચાલે છે.

વર્ષ 2020માં હિંમતા બિસ્વા સરમા એક કાયદો લાવ્યા હતા, જેના દ્રારા સરકાર દ્રારા સંચાલિત બધી મદરેસાએને નિયમિત શાળામાં તબદીલ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ તે વખતે કહ્યુ હતું કે રાજ્યની પોલીસ મદરેસામાં સારું વાતાવરણ ઉભું કરવા માટે બંગાળી મુસલમાનો સાથે મળીને કામ કરી રહી છે, જેમનું વલણ શિક્ષણ પ્રત્યે સકારાત્મક છે. વિજ્ઞાન અને ગણિતને એક વિષય તરીકે મદરેસામાં ભણાવાશે અને શિક્ષણના અધિકારોનું સન્માન કરાશે. શિક્ષકોનો ડેટાબેઝ પણ રાખવામાં આવશે.

કર્ણાટકમાં સંભવત મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના દિગ્ગજ નેતાઓ કર્ણાટકમાં ધામા રાખી રહ્યા છે. લગાતાર સભાઓ કરવામાં આવી રહી છે અને મતદારોને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું હતું કે, કોંગ્રેસ આજની નવી મુઘલ પાર્ટી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ફરી એકવાર ભારતને નબળું પાડવાનું કામ કરી રહી છે. પહેલા મુઘલોએ ભારતને નબળું પાડ્યું હતું. મુખ્યમંત્રી હિંમતાએ કહ્યું કે, કોંગ્રેસને રામ મંદિર બને તો તેમને આપત્તિ છે તેમણે કોંગ્રેસને સવાલ પુછતા કહ્યું હતું કે, શું તમે મુઘલોના બાળકો છો?

મુખ્યમંત્રી સરમાએ કહ્યું, કોંગ્રેસ અને સામ્યવાદીઓએ બતાવ્યું કે ભારતનો ઈતિહાસ બાબર, ઔરંગઝેબ અને શાહજહાંનો હતો. હું કહેવા માંગુ છું કે ભારતનો ઇતિહાસ તેમના વિશે નથી પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ, ગુરુ ગોવિંદ સિંહ વિશે છે. ઔરંગઝેબે તેના શાસન દરમિયાન 'સનાતન' સંસ્કૃતિને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને બળજબરીથી ઇસ્લામમાં ફેરવવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.