નવપરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિને ઉતાર્યો મોતને ઘાટ, 6 મહિના અગાઉ કરેલા લવમેરેજ

બિહારના ભોજપુર જિલ્લાથી પતિ-પત્નીના સંબંધોને તાર તાર કરી દેનારી ઘટના સામે આવી છે. અહી એક નવપરિણીતાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી અને પછી તેના શબને ઘરના આંગણામાં દફનાવી દીધું. એટલું જ નહીં પુરાવા છુપાવવા માટે ત્યાં છોડ પણ રોપી દીધા, જેથી કોઈને આ ઘટનાની જાણકારી ન મળી શકે. હેરાન કરી દેનારી વાત એ છે કે યુવકે 6 મહિના અગાઉ જ નેહા સાથે લવ મેરેજ કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જેવી જ તેની જાણકારી પોલીસને મળી, તો ઘટનાસ્થળ પર પહોંચીને મૃતકના પરિવારજનોને તેની જાણકારી આપી.

પછી ઘરની જમીન ખોદવામાં આવી અને શબને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું. આ ઘટના સામે આવ્યા બાદ દરેક હેરાન રહી ગયું. પોલીસે ઘટનાસ્થળ પરથી આરોપીની પત્નીને પણ કસ્ટડીમાં લીધી છે અને પૂછપરછ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અગિઆંવ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના તાર ગામના રહેવાસી 26 વર્ષીય મિથુન ગિરી હરિયાણાના ગુરુગ્રામમાં ટ્રક ડ્રાઈવર હતો. તેણે 4 મહિના અગાઉ ઇટમ્હા ગામની રહેવાસી નેહા દેવી સાથે લવ મેરેજ કર્યા હતા.

મૃતકના પિતા કમલેશ ગિરીએ જણાવ્યું કે, તેનો દીકરો ગુરુગ્રામથી બે મહિના અગાઉ ગામમાં આવ્યો હતો. જ્યાં તે છેલ્લા 4 દિવસ અગાઉ પોતાની પત્નીને મળવા માટે ઇટમ્હા ગામમાં પોતાના સાસરે ગયો હતો. આ દરમિયાન અમે તેની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ હતો. જેથી તેના સાળાને ફોન કર્યો, પરંતુ તેણે વાત ન કરી. પછી અમને જાણકારી મળી કે વહુ અને તેનાઆ પ્રેમીએ સાથે મળીને દીકરાની હત્યા કરવામાં આવી છે અને શબને જમીનમાં દફનાવી દીધું છે. પોલીસની જાણકારી પર અમે બધા ત્યાં પહોંચ્યા તો જોયું કે જમીનની અંદર અમારા દીકરાનું શબ પડ્યું હતું.

DSP રાહુલ કુમારે જણાવ્યું કે, મૃતકની પત્નીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે સોમવારે પતિ-પત્ની વચ્ચે ઘરેલુ વિવાદને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ પતિ મિથુન ગિરીએ ઘરનો દરવાજો બંધ કરીને ફાંસી લગાવી દીધી. પછી તેણે ગામના બબલૂ પાસવાનને બોલાવ્યો અને તેના કહેવા પર પતિના શબને જમીનની અંદર દફનાવી દેવામાં આવ્યું, જેથી કોઈને તેની જાણકારી ન મળી શકે. પોલીસ આ ઘટના પર ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટનામાં જે લોકો  દોષી સાબિત થશે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.