નીરજ ચોપરાની પ્રતિમાનો ભાલો ચોરાઈ જવાના સમાચાર, પોલીસે સચ્ચાઈ બતાવી

મેરઠ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ઘણા ઈન્ટરસેક્શનના બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત હાપુર અડ્ડા ચાર રસ્તા પર ઘણા ખેલાડીઓના સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે, જેમાં ઇન્ટરનેશનલ એથ્લેટ નીરજ ચોપરાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આમાં તે બરછી (ભાલો) ફેંકતો જોવા મળી રહ્યો છે.

ઇન્ટરનેશનલ એથ્લેટ નીરજ ચોપડા સાથે જોડાયેલા એવા સમાચાર UPના મેરઠમાંથી સામે આવ્યા છે કે, જેના કારણે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો. હકીકતમાં, સમાચાર એમ ફેલાઈ ગયા હતા કે, નીરજ ચોપરાના સ્ટેચ્યુમાંથી બરછી (ભાલો) ચોરાઈ ગઈ છે. આ વાતની જાણ થતાં જ પોલીસ પણ તપાસમાં લાગી ગઈ હતી. જો કે, ત્યાર પછી પોલીસ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે, ભાલો ચોરવામાં આવ્યો ન હતો પરંતુ તેને ચાર રસ્તાના બ્યુટીફિકેશન હેઠળ બદલવામાં આવ્યો હતો.

મેરઠ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ઘણા ચાર રસ્તાઓનું બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત હાપુર અડ્ડા ચારરસ્તા પર ઘણા ખેલાડીઓના સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે, જેમાં એક ઇન્ટરનેશનલ એથ્લેટ નીરજ ચોપરાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. આમાં તે બરછી (ભાલો) ફેંકતો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન મેરઠમાં સોશિયલ મીડિયા પર એવા સમાચાર ફેલાઈ ગયા કે, નીરજ ચોપરાની પ્રતિમામાંથી ભાલો ચોરાઈ ગયો છે. આ સમાચાર ફેલાતાની સાથે જ હલચલ મચી ગઈ હતી, કારણ કે હાપુર બેઝ ઈન્ટરસેક્શન પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ભાલાની ચોરીની માહિતી મળતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. તપાસ કર્યા પછી પોલીસે જણાવ્યું કે, ભાલા ચોરાઈ જવાના સમાચાર ખોટા છે. પ્રતિમાનો ભાલો બદલવામાં આવ્યો છે.

જ્યારે, આ કિસ્સામાં, મેરઠના સિવિલ લાઇન વિસ્તારના CO અરવિંદ ચૌરસિયાએ કહ્યું કે, મીડિયા દ્વારા સમાચાર મળ્યા હતા કે, 2 મહિના પહેલા એક ચોરી થઈ હતી. ત્યાર પછી તપાસ કરીને મેરઠ ડેવલપમેન્ટ ઓથોરિટીના JEએ જણાવ્યું કે, આ પ્રતિમા પર એક ભાલો હતો જે પ્લાસ્ટિકનો હતો. તેમાં ફેરફાર કરવાની માંગણી કરવામાં આવી હતી કે ખરેખર (સાચ્ચો) ભાલો લગાવવામાં આવે, અને તેને યોગ્ય દિશા અને સ્થિતિમાં લગાવવામાં આવે.

ત્યાર પછી મેરઠ ડેવલપમેન્ટ ઓથોરિટીએ નિર્ણય લીધો કે, પ્રતિમાના હાલના પ્લાસ્ટિકના ભાલાને ખરેખરના ભાલાથી બદલવામાં આવશે. જૂનો ભાલો ચોરાયો નથી, તેને બદલી નાખવામાં આવ્યો છે. આ કામ લગભગ 2 મહિના પહેલા કરવામાં આવ્યું હતું. હમણાં સોશિયલ મીડિયા પર ફેલાયેલા સમાચાર એકદમ ખોટા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.