દિવાળી પહેલા માતમ, ફટાકડાની ફેક્ટ્રીમાં ભીષણ આગ લગતા 10ના મોત, 13 ઇજાગ્રસ્ત

દિવાળીનો તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ ફટાકડાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં ફટાકડાઓને પૂરી રીતે બેન કરી દેવામાં આવ્યા છે, પરંતુ ગ્રીન ક્રેકર્સને પણ ફોડવાની મંજૂરી આપવામાં આવી નથી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે. આ દરમિયાન ફટાકડા ફેક્ટ્રીમાં આગ લાગવાની ઘટના પણ મોટા ભાગે સામે આવે છે. એવી જ એક ઘટના તામિલનાડુથી પણ સામે આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, તામિલનાડુના અરિયાલુર જિલ્લામાં સોમવારે ફટાકડાની ફેક્ટ્રીમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થઈ ગયા અને 13 અન્ય લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને એક નિવેદનમાં આ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કરતા તેમના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. આ ઘટના જિલ્લાના વિરાગલુર ગામમાં એક ફટાકડા નિર્માણની ફેક્ટ્રીમાં બની હતી. ફેક્ટ્રીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.

મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કહ્યું કે, 5 ઇજાગ્રસ્ત લોકોને તંજાવુર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે અને તેમને વિશેષ સારવાર આપવામાં આવી રહી છે. તેમના બચાવ અને રાહત ગતિવિધિઓમાં તેજી લાવવા માટે મંત્રીમંડળમાં પોતાના સહયોગી એસ.એસ. રવિશંકર અને સી.વી. ગણેશનને તૈનાત કર્યા છે. તેમણે દરેક મૃતકના પરિવારને 3-3 લાખ રૂપિયા, ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 1 લાખ રૂપિયા અને સામાન્ય રૂપે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

થોડા દિવસ અગાઉ બેંગ્લોરની ફટાકડાની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં અનેકલ તાલુકાના અટ્ટેબેલે વિસ્તારમાં એક ફટાકડાના ગોદામ સહ દુકાનમાં આગ લાગવાથી 10 લોકોના મોત થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં દુકાનના માલિક સહિત 4 લોકો દાઝી ગયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં એક વ્યક્તિ ગંભીર રૂપે દાઝી ગઇ હતી, જેથી તેને બીજી હૉસ્પિટલમાં રેફર કરી દેવામાં આવી હતી.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.