દિવાળી પહેલા માતમ, ફટાકડાની ફેક્ટ્રીમાં ભીષણ આગ લગતા 10ના મોત, 13 ઇજાગ્રસ્ત

દિવાળીનો તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ ફટાકડાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં ફટાકડાઓને પૂરી રીતે બેન કરી દેવામાં આવ્યા છે, પરંતુ ગ્રીન ક્રેકર્સને પણ ફોડવાની મંજૂરી આપવામાં આવી નથી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે. આ દરમિયાન ફટાકડા ફેક્ટ્રીમાં આગ લાગવાની ઘટના પણ મોટા ભાગે સામે આવે છે. એવી જ એક ઘટના તામિલનાડુથી પણ સામે આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, તામિલનાડુના અરિયાલુર જિલ્લામાં સોમવારે ફટાકડાની ફેક્ટ્રીમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થઈ ગયા અને 13 અન્ય લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને એક નિવેદનમાં આ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કરતા તેમના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. આ ઘટના જિલ્લાના વિરાગલુર ગામમાં એક ફટાકડા નિર્માણની ફેક્ટ્રીમાં બની હતી. ફેક્ટ્રીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.

મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કહ્યું કે, 5 ઇજાગ્રસ્ત લોકોને તંજાવુર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે અને તેમને વિશેષ સારવાર આપવામાં આવી રહી છે. તેમના બચાવ અને રાહત ગતિવિધિઓમાં તેજી લાવવા માટે મંત્રીમંડળમાં પોતાના સહયોગી એસ.એસ. રવિશંકર અને સી.વી. ગણેશનને તૈનાત કર્યા છે. તેમણે દરેક મૃતકના પરિવારને 3-3 લાખ રૂપિયા, ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 1 લાખ રૂપિયા અને સામાન્ય રૂપે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

થોડા દિવસ અગાઉ બેંગ્લોરની ફટાકડાની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં અનેકલ તાલુકાના અટ્ટેબેલે વિસ્તારમાં એક ફટાકડાના ગોદામ સહ દુકાનમાં આગ લાગવાથી 10 લોકોના મોત થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં દુકાનના માલિક સહિત 4 લોકો દાઝી ગયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં એક વ્યક્તિ ગંભીર રૂપે દાઝી ગઇ હતી, જેથી તેને બીજી હૉસ્પિટલમાં રેફર કરી દેવામાં આવી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.