‘અમારી સરકાર ફરી આવવાની ગેરંટી નથી, પરંતુ..’ ગડકરીએ નાગપુરમાં એમ શા માટે કહ્યું?

On

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જ્યારે પણ કોઈ નિવેદન આપે છે, એ નિવેદનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. તાજેતરમાં જ નીતિન ગડકરીએ પોતાની સરકારના ચોથા કાર્યકાળની ગેરંટી ન હોવાની વાત કહી હતી, જે ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં નીતિન ગડકરી મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા અને તેઓ પોતાની કેબિનેટ સહયોગી રામદાસ અઠાવલે સાથે મજાક કરતા ઘણી સરકારોમાં તેમના કેબિનેટ પદ પર બન્યા રહેવાની ક્ષમતા પર કટાક્ષ કરી રહ્યા હતા.

નીતિન ગડકરીએ કહ્યું કે, આ વાતની ગેરંટી નથી કે અમારી સરકાર ચોથી વખત પણ જીતશે, પરંતુ એ નિશ્ચિત છે કે રામદાસ અઠાવલે મંત્રી બનશે. જો કે, નીતિન ગડકરીએ બાદમાં સ્પષ્ટ કરી દીધું કે તેઓ બસ મજાક કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPIA)ના નેતા રામદાસ અઠાવલે 3 વખત મંત્રી રહી ચૂક્યા છે અને તેમણે ભરોસો વ્યક્ત કર્યો કે જો ભાજપ સત્તામાં પાછી આવે છે તો તેઓ ફરીથી મંત્રી બનશે.

ઉલ્લેખનીય છે કે, રામદાસ અઠાવલેએ રવિવારે મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને મોટી માગ રાખી છે. તેમણે સત્તાધારી મહાયુતિ સરકારમાં તેમની પાર્ટી RPI(A)ને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 10-12 સીટો પર ચૂંટણી લડવાની તકની માગ કરી હતી. નાગપુરમાં સંમેલનને સંબોધિત કરતા રામદાસ અઠાવલેએ કહ્યું હતું કે RPI(A) પોતાના પાર્ટી ચિહ્ન પર ચૂંટણી લડશે અને વિદર્ભમાં 3-4 સીટો માગશે, જેમાં ઉત્તર નાગપુર, ઉમરેડ (નાગપુર), યવતમાલમાં ઉમરખેડ અને વાશિમ સામેલ છે.

રામદાસ અઠાવલેની પાર્ટી મહાયુતિ ગઠબંધનનો હિસ્સો છે, જેમાં ભાજપ, મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજીત પવારની NCPનો સમાવેશ થાય છે. રામદાસ અઠાવલેએ દાવો કર્યો કે, અજીત પવારના નેતૃત્વવાળી NCPને મહાયુતિમાં સામેલ કરવાના કારણે RPI(A)ને વાયદા છતા રાજ્યમાં કોઈ મંત્રી પદ મળ્યું નથી. પાર્ટીને કેબિનેટ પદ, 2 પાલિકાની અધ્યક્ષતા અને જિલ્લા સ્તરીય સમિતિઓમાં ભૂમિકા આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ પવાર સામેલ થવાના કારણે આ બધુ ન થઈ શક્યું. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો માટે નવેમ્બરમાં ચૂંટણી થવાની સંભાવના છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.