આઠવલેએ કહ્યું, નીતિશ કુમારે NDAમાં પાછા આવી જવું જોઇએ, BJPએ કહ્યું નહીં લઈએ

 કેન્દ્રની NDA  સરકારના સાથી પક્ષ Republican Party of India (A)ના પ્રમુખ અને કેન્દ્રમાં સોશિયલ જસ્ટીસ એન્ડ એમપાવરના રાજ્યકક્ષાના મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે NDAમાં પાછા આવી જવું જોઇએ.નવા મહાગઠબંધનમાં તેમનો કોઇ ભાવ પુછતું નથી. તો બિહાર ભાજપના સિનિયર નેતાએ કહ્યું છે કે, ભાજપે નીતિશ કુમાર માટે બધા દરવાજા બંધ કરી દીધા છે.

લોકસભા ચૂંટણી પહેલાં દેશના 26 વિપક્ષોએ ભેગા થઇને એક મહાગઠબંધન બનાવ્યું છે જેને  INDIA નામ આપવામાં આવ્યું છે.હવે આ મુદ્દા પર રામદાસ આઠવલેએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નીતિશ કુમારે પાછા NDAમાં આવી જવું જોઇએ. વિપક્ષી ગઠબંધનમાં તેમનો તિરસ્કાર થઇ રહ્યો છે. NDAમાં તેમનું સ્વાગત કરવામાં આવશે.

આઠવલેએ કહ્યું કે INDIA ગઠબંધનમાં અનેક લોકો પ્રધાનમંત્રી પદના દાવેદાકર છે. એટલે નીતિશ કુમારની ત્યાં દાળ ગળવાની નથી.INDIA નામ રાખવા પર નીતિશે નારાજગી દર્શાવી હતી.

આઠવલેએ કહ્યું કે વિપક્ષના ગઠબંધનને INDIA નામ આપવાથી ભારત દેશ નથી બની જતો. તેમનું જોડાણ ડેડ એલાયન્સ છે. તેમનાસાથે આવવાથી NDAને કોઈ ફરક નહીં પડે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત 350 સીટો સાથે સરકાર બનશે.કારણકે દેશની પ્રજા NDAની સાથે છે. 1 ઓગસ્ટે પુણેના કાર્યક્રમમાં શરદ પવાર અને PM મોદી એક મંચ પર ભેગા થવાના છે.

આઠવલેએ કહ્યું કે જ્યારે બંને દિગ્ગજ નેતાઓ મંચ પર ભેગા થશે તો અનેક વાતો થઇ શકે છે.મને લાગે છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી અને શરદ પવાર વચ્ચે 2024ની ચૂંટણી સાથે લડવા વિશે પણ ચર્ચા થઇ શકે છે.

કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું કે PM મોદી વાત કરશે તો કદાચ શરદ પવારનું મન બદલાઇ પણ જાય. અજિત પવાર તો અમારી સાથે જ છે.તેમણે કહ્યું કે વિપક્ષના લોકો મણિપુર જઇ શકે છે તો તેમને રાજસ્થાન, બંગાળ, છત્તીસગઢ જવામાં શું વાંધો છે?  વિપક્ષ મણિપુર જઇને શું રિપોર્ટ આપે છે તેની પર વિચારણા થશે.

તો બીજી તરફ બિહાર ભાજપના દિગ્ગજ નેતા સુશીલ મોદીએ કહ્યું કે, રામદાસ આઠવલે ન તો ભાજપના પ્રવક્તા છે કે ન તો NDAના. તેમનું કેન્દ્રીય મંત્રી અને તેમની પાર્ટીના નેતા તરીકે વ્યક્તિગત મંતવ્ય હોય શકે છે. સુશીલ મોદીએ કહ્યું કે,ભાજપે નીતિશ કુમાર માટે બધા દરવાજા બંધ કરી દીધા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.