ઓરિસ્સા ટ્રેન અકસ્માતવાળી જગ્યાએ કેમ આવી રહી છે અજીબ ગંધ? રેલવેએ જણાવ્યું કારણ

ઓરિસ્સાના બાલાસોરનું બહાનગા બજાર રેલવે સ્ટેશન. એક અઠવાડિયા અગાઉ (2 જૂન) આ સ્ટેશનની નજીક જ એ ભીષણ અકસ્માત થયો હતો, જેમાં 288 લોકોના મોત થઈ ગયા હતા. 7 દિવસ વીતી ગયા બાદ પણ અત્યાર સુધી બહાનગા બજારના લોકોના મનમાંથી અકસ્માતની તસવીરો નીકળી શકતી નથી. બહાનગા બજાર વિસ્તારમાં રહેતા લોકો સતત એવી ફરિયાદ એક રહ્યા હતા કે અકસ્માતવાળી જગ્યા પાસે અત્યારે પણ ઘણા શબ હોય શકે છે કેમ કે ત્યાંથી પસાર થતી વખત એક અજીબ ગંધ આવે છે.

ફરિયાદ બાદ રેલવેના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. જો કે, આ તપાસમાં ઘટનાસ્થળ પર કોઈ શબ ન મળ્યું. દક્ષિણ પૂર્વ રેલવેના CPRO આદિત્ય કુમાર ચૌધરીએ કહ્યું કે, NDRFએ અકસ્માતવાળી જગ્યાનું 2 વખત નિરીક્ષણ કર્યા બાદ સાઇટ ક્લિયરેન્સ આપી છે. ત્યારબાદ લોકોની ફરિયાદ મળતા રાજ્ય સરકારીની ટીમે પણ ફરી ઘટનાસ્થળની તપાસ કરી. તેમના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળથી સ્મેલ ઈંડાઓના કારણે આવી રહી હતી.

તેમણે જણાવ્યું કે, યશવંતપુર-હાવડા એક્સપ્રેસમાં લગભગ 4 ટન ઈંડા લોડ કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બધા ઈંડા તૂટી ગયા હતા. ઘટનાના 7 દિવસ બાદ ઈંડા સડી ચૂક્યા છે, જેના કારણે ત્યાં દુર્ગંધ આવી રહી છે. ઘટનાસ્થળથી ક્ષતિગ્રસ્ત ઈંડાઓને હટાવવા માટે બાલાસોર નગર પાલિકાની મદદ લેવામાં આવી રહી છે. આ અગાઉ બહાનગાની હાઇસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ ત્યાં ભણવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ અકસ્માત બાદ જ્યારે ત્યાં શબોના ઢગ લાગી ગયા હતા.

ત્યારે બહાનગા હાઇસ્કૂલને અસ્થાયી શબગૃહ બનાવી દેવામાં આવી હતી. પહેલા શબ રાખવા માટે શાળાના 3 રૂમ ખોલવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ શબોની ઓળખ કરવા માટે શાળાના મુખ્ય હોલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓના વિરોધ બાદ 65 વર્ષ જૂની શાળાને તોડી પાડવામાં આવી. વિદ્યાર્થીઓના પરિવારજનોએ પણ તેમને શાળાએ મોકલવાની ના પાડી દીધી હતી. તેમનું કહેવું હતું કે, ટીવી પર શબોની તસવીર જોયા બાદ હવે તેમના બાળકો શાળાએ જવા માગતા નથી. વાલીઓએ માગ કરી કે આ શાળાની બિલ્ડિંગને પાડીને નવી બિલ્ડિંગ બનાવવામાં આવે.

શાળા અને સ્થાનિક લોકોએ ટ્રેન દુર્ઘટના દરમિયાન બચાવ અને રાહત અભિયાનમાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે, તેમને શાળા સમિતિ તરફથી બિલ્ડિંગ પાડવાની માગ બાબતે એક પ્રસ્તાવ પાસ કરવા અને તેને સરકારને સોંપવાના નિર્દેશ આપ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, શાળાની ઇમારત જૂની છે અને મોટા ભાગે પુર દરમિયાન લોકોને આશ્રય આપવામાં માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરિવર્તન કાર્યક્રમ હેઠળ શાળાનું નવીનીકરણ કરી શકાય છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.