પશુપતિનાથ મંદિરમાં સીમા-સચીનના લગ્નના કોઇ પૂરાવા ન મળ્યાનો દાવો

છેલ્લાં કેટલાંક દિવસોથી દેશભરના મીડિયામાં છવાયેલી રહેલી સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરીમાં નવો વળાંક આવ્યો છે. પાકિસ્તાનથી 4 બાળકોની સાથે ભારત આવેલી સીમા હૈદર અને ભારતનો સચીન મીણા નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરી લીધા હોવાની વાત ગાય વગાડીને કહી રહ્યા હતા. પરંતુ હવે જાણવા મળ્યું છે કે પશુપતિનાથ મંદિરમાં તેમણે લગ્ન કર્યા હોય તેવા કોઇ પુરાવા મળ્યા નથી.

પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને તેના પ્રેમી સચિનનો દાવાની પોલ ખુલી ગઇ છે. જે જૂઠાણાના આધારે કરવામાં આવ્યો હતો. આ એક એવું સત્ય છે જે તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે. સીમા અને સચિન મીણાએ આખી દુનિયાની સામે નેપાળમાં લગ્ન કર્યાની માહિતી આપીને બધાને ચોંકાવી દીધા હતા.સીમા અને સચીન એવો વારંવાર દાવો કરતા રહ્યા છે કે તેઓ 10 માર્ચથી 17 સુધી નેપાળમાં રહ્યા હતા અને એ દરમિયાન તેમણે નેપાળના પ્રાચીન પશુપતિનાથ મંદિરમાં હિંદુ રીતિરિવાજથી લગ્ન કરી લીધા હતા.

ન્યૂઝ 18 ઇન્ડિયાના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે,સચીનના દાવાની ખરાઇ કરવા માટે તેમની ટીમ પશુપતિનાથ મંદિર પહોંચી હતી અને મંદિરનું રજિસ્ટ્રર ચેક કર્યું હતું. તેમાં સીમા અને સચિનના લગ્નની કોઇ એન્ટ્રી જોવા મળી નથી. વારંવાર રજિસ્ટ્રર તપાસ્યા પછી તેમના નામો મળ્યા નહોતા.

મદિરમાં રેકોર્ડ ચેક કર્યા પછી કોઇ પુરાવા મળ્યા નહોતા. સીમા હૈદર અને સચીન મીણા નામના કોઇ દંપતિના લગ્ન થયા નથી. મંદિરમાંથી જાણવા મળ્યું હતું કે ભારતથી કોઇ પોલીસ મંદિરમાં આવી નથી.

ઉત્તર પ્રદેશ પોલીસના  સ્પેશિયલ ડિરેકટર જનરલ કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે બુધવારે માહિતી આપી હતી કે સીમા હૈદરને પાકિસ્તાન પરત મોકલવામાં આવશે. આ કેસમાં સીમા જેલ જઈ ચૂકી છે. હાલ તે જામીન પર બહાર છે. આગળની કાર્યવાહી ચાલુ છે. તેને બહાર મોકલવા માટે કાયદેસરની પ્રક્રિયા ચાલી રહી છે, તે મુજબ કાર્યવાહી ચાલી રહી છે. પત્રકારોએ શું સીમા હૈદરને પરત મોકલવામાં આવશે તેવા કરેલા સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતું કે, આ માટે કાયદો પહેલેથી જ નક્કી છે. તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે સરહદને લઈને પોલીસનો હાલ નેપાળ જવાનો કોઈ પ્લાન નથી. તે પાકિસ્તાની જાસૂસ હોવા વિશે, યુપી પોલીસના ટોચના પોલીસ અધિકારીઓ તરફથી વધુ કંઈ કહેવામાં આવ્યું ન હતું. તેમણે એટલું જ કહ્યું કે તમામ એજન્સીઓ તેમનું કામ કરી રહી છે. આ મુદ્દો બે દેશો સાથે સંબંધિત છે. જ્યાં સુધી કોઈ નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી આ મુદ્દે કંઈપણ કહેવું યોગ્ય નહીં ગણાય.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.