હવે મોબાઈલ ચોરોની ખેર નહીં, આ ટેક્નોલોજી દ્વારા પોલીસ મિનિટોમાં કરશે ખેલ

દૂરસંચાર વિભાગે મંગળવારે સંચાર સાથી પોર્ટલની શરૂઆત કરી દીધી છે. તેના દ્વારા લોકો હવે આખા ભારતમાં પોતાના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઇલની દેખરેખ કરી શકે છે. આ પોર્ટલથી ફોનને બ્લોક પણ કરી શકાય છે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સંચાર સાથી પોર્ટલના માધ્યમથી લોકો જૂના ઉપકરણોને ખરીદતા પહેલા તેની સત્યતાની તપાસ કરી શકશે. સંચાર સાથી પોર્ટલનું પહેલું ચરણ કેન્દ્રીય ઉપકરણ ઓળખ રજીસ્ટર (CEIR) છે.

જો તમારો મોબાઈલ ખોવાઈ જાય છે તો તમે આ પોર્ટલ પર જઈ શકો છો. કેટલીક ઓળખ સંબંધિત ખરાઈ કરવી પડશે અને ત્યારબાદ તરત જ પોર્ટલ કાયદાકીય પ્રવર્તન એજન્સીઓ અને દૂરસંચાર કંપનીઓ સાથે સંપર્ક કરશે. તમારા ખોવાયેલા ફોનને બ્લોક કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર છે કે, ઉપયોગકર્તાની સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવે અને સંચાર સાથી પોર્ટલ આ જ દિશામાં ઉઠાવવા આવેલું પગલું છે.

વૉટ્સએપ પર કોલ દ્વારા છેતરપિંડીના કેસોની તપાસ બાબતે પૂછવામાં આવતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મેટાના સ્વામિત્વવાળી એપ છેતરપિંડીમાં સામેલ કોઈ પણ મોબાઈલ નંબરથી જોડાયેલી સેવાઓને નિષ્ક્રિય કરવા પર સહમત થઈ ગઈ છે. છેતરપિંડીના કારણે 36 લાખ મોબાઈલ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ તેમના વૉટ્સએપ ખાતાને બ્લોક કરી દેવામાં આવ્યા છે. સરકાર ભારતમાં મોબાઈલ ઉપકરણોના વેચાણ અગાઉ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI 15 આંકડાનો નંબર)નો ખુલાસો કરવાનું અનિવાર્ય કરી દીધું છે.

મોબાઈલ નેટવર્ક પાસે મંજૂર IMEI નંબરોની લિસ્ટ હશે, જેથી તેમના નર્ટવર્કમાં ચોરીના મોબાઈલ ફોનના પ્રવેશની જાણકારી મળી શકશે. દૂરસંચાર પરિચાલકો અને CEIR પ્રણાલી પાસે ઉપકરણના IMEI નંબર અને તેની સાથે જોડાયેલા નંબરની જાણકારી હશે. કેટલાક રાજ્યોમાં આ જાણકારીનો ઉપયોગ CEIR દ્વારા ગુમ કે ચોરી થયેલા મોબાઈલ ફોનની જાણકારી મેળવવા માટે કરવા આવશે. CEIRની સત્તાવાર વેબસાઈ મુજબ અત્યાર સુધી આ સિસ્ટમ દ્વારા 4,77,996 મોબાઈલ ફોન બ્લોક કરવા આવ્યા છે, જ્યારે 2,42,920 ફોન ટ્રેક કરવામાં આવ્યા છે, તો 8498 ફોન શોધી કાઢવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.