ઝારખંડમાં હવે 'નમસ્કાર' નહીં જોહાર કહેવું પડશે, સરકારે કર્યો આદેશ

ઝારખંડમાં 'નમસ્કાર'ને બદલે 'જોહાર' બોલવું પડશે. CM હેમંત સોરેનના આદેશ મુજબ રાજ્ય સરકારે તેનું જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્ય સરકારે કહ્યું છે કે હવે રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો અને સરકારી કાર્યોમાં શુભેચ્છા માટે 'જોહાર' શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આ સંદર્ભે, સરકારના અગ્ર સચિવ અજય કુમાર સિંહે રાજ્યના તમામ અધિક મુખ્ય સચિવો, મુખ્ય સચિવો, સચિવો, વિભાગીય કમિશનરો, વિભાગોના વડાઓ અને DCને પત્ર મોકલીને તેનો અમલ કરવા નિર્દેશ આપ્યો છે.

પત્ર બહાર પડતી વખતે, ઝારખંડ સરકારના મુખ્ય સચિવ અજય કુમાર સિંહે કહ્યું કે, રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો અને કાર્યોમાં શુભેચ્છાઓ માટે જોહર શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે તેમણે આ પત્રમાં કહ્યું છે કે, ઝારખંડની ઓળખ આદિવાસી બહુમતી રાજ્ય તરીકે છે. અહીંની સંસ્કૃતિમાં જોહર કહીને લોકોને અભિવાદન કરવાની પરંપરા છે, જે આ રાજ્યની વિશિષ્ટ સંસ્કૃત અને સમૃદ્ધ પરંપરાને દર્શાવે છે.

આ સાથે એ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હવે રાજ્યમાં તમામ પ્રકારના રાજ્યના કાર્યક્રમો અને સરકારી કાર્યક્રમોમાં મહાનુભાવોને આવકારવા માટે ગુલદસ્તો કે ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેના બદલે છોડ અથવા પુસ્તક અથવા શાલ અથવા કંઇક સ્મૃતિ ચિહ્ન આપીને તેનું સ્વાગત કરી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ સિંહભૂમના જિલ્લા મુખ્યાલય ચાઈબાસા ખાતે ખતિયાની જોહર યાત્રામાં લોકોને સંબોધિત કરતી વખતે CM હેમંત સોરેને કહ્યું હતું કે, હવે રાજ્યમાં દરેકે જોહાર બોલવું પડશે. તે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલ છે. આ અંગે વહીવટી અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ અંતર્ગત હવે કેબિનેટ સચિવાલય અને મોનિટરિંગ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

સરકારના આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે રાજ્યમાં બૌદ્ધિક વિકાસ પણ થાય. આ બહાને છોડની ભેટ આપીને વૃક્ષારોપણને વધુ મજબૂત બનાવવામાં આવશે અને લોકોમાં વૃક્ષો વાવવા અંગે જાગૃતિ વધશે. તેવી જ રીતે પુસ્તક ભેટ આપીને લોકો બૌદ્ધિક વિકાસની સાથે સાથે ગર્વ અનુભવશે. સરકારના આ નિર્ણય બાદ રાજ્યમાં તમામ સરકારી કાર્યક્રમો અને કાર્યોમાં આ પ્રકારનો ફેરફાર જોવા મળશે. સરકારના અગ્ર સચિવ અજય કુમાર સિંહ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનામાં તમામ વિભાગીય સચિવો અને ડેપ્યુટી કમિશનરોને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.