ખબરદાર, કોઇ મને PM ઉમેદવાર ન બતાવે, CM નીતિશ કુમારે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીને હજુ એક વર્ષની વાર છે, પરંતુ બધી રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે વિપક્ષ એક થઇ રહ્યો છે અને અનેક વખત PM ઉમેદવારના દાવા કરવામાં આવે છે. ખાસ કરીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાજપ પર નિશાન સાધવાની કોઇ તક છોડતા નથી. આ પહેલા PM ઉમેદવાર તરીકે નીતીશ કુમારના નામની ચર્ચા ચાલતી હતી તે વખતે તેમણે કશું કહ્યુ નહોતુ, પરંતુ તેમણે હવે સમર્થકોને કહ્યું છે કે, ખબરદાર, મને PM ઉમેદવાર બતાવશો નહીં. હવે સવાલ એ ઉભો થાય છે કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આવું કેમ કહેવું પડ્યું?

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે શુક્રવારે પોતાના સમર્થકોને દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે પોતાનું નામ નહીં લેવા માટે કહ્યું હતું. પાર્ટીની હેડઓફિસમાં JDU કાર્યકરોને સંબોધિત કરતા નીતીશ કુમારે કહ્યું કે આવા નારા લગાવવાને કારણે તેમણે કરેલા કામોને પાટા પરથી ઉતારી દેશે.

નીતીશ કુમારે પોતાની પાર્ટીના કાર્યકરોને સંબોધનમાં કહ્યું કે,હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે PM ઉમેદવાર તરીકે મારું નામ લેવાથી બધા બચજો. હું 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે દેશના વિપક્ષી પક્ષોને એક કરવા પર કામ કરી રહ્યો છું. આવું કૃત્ય આપણા હેતુને નુકસાન પહોંચાડી શકે છે. તેથી મારા નામનો જાપ કરવાનું બંધ કરો.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે તેઓ દિલ્હીમાં વિપક્ષના નેતાને મળીને બિહાર પરત આવ્યા હતા. નીતીશ જ્યારે દિલ્હીથી બિહાર પાછા ફર્યા ત્યારે  JDU હેડકવાર્ટસ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. નીતીશ કુમાર દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાજૂન ખડગે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સીતારામ યેચુરી અને ડી. રાજાને મળ્યા હતા.

નીતીશ કુમારે સાથે સાથે ભાજપ પર નિશાન પણ સાધી દીધું હતું. મુખ્યમંત્રીએ બિહારની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને વોટ ન આપતા, તેમણે દેશની પ્રજા માટે કશું કામ કર્યું નથી. નીતીશે  આગળ કહ્યુ કે, અમે બિહારને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો આપવા માટે રજૂઆત કરી છે, પરંતુ તેમણે આજ સુધી આ કામ કર્યું નથી. તેમણે કહ્યું કે, તેમનું કામ માત્ર એટલું જ છે કે વિપક્ષી નેતાઓને ખોટી રીતે કેવી રીતે ફસાવવા.

નીતીશ કુમારે કહ્યું કે એ વાતને સામાન્ય લોકો સાથે કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યુ કે, જો તમે ભાજપને વોટ આપશો તો તમે પોતાને બરબાદ કરી દેશો, પરંતુ જો તમે ભાજપની વિરુદ્ધ વોટ કરશો તો તમારું રાજ્ય અને દેશ વિકાસના પંથે આગળ વધશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.