અહીં રસ્તા પર રખડતા પશુઓ દેખાયા તો જવું પડશે જેલ, તંત્રએ બનાવ્યા કડક નિયમો

ભારતમાં રખડતા ઢોર-ગાયોનો પ્રશ્ન સૌથી મોટો છે. રસ્તાઓની વચ્ચે આ પશુઓનું ટોળું બેસેલું જોવા મળી આવે છે. જેને લઇ ઘણા અકસ્માતો પણ સર્જાય છે. એટલું જ નહીં ઘણાં કિસ્સાઓમાં તો લોકોનો જીવ પણ ગયો છે. દેશમાં કેટલાય રાજ્યોમાં આ એક મોટો પ્રશ્ન છે. પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. તંત્ર થોડા સમય માટે કડક નિયમો તો બનાવી દે છે પણ વિરોધ થતાં તેનો અમલ કરવામાં આવતો નથી. જેનું પરિણામ એ આવે છે કે રખડતા પશુઓ રસ્તાઓ પર જ્યાં ને ત્યાં જોવા મળી આવે છે. જેને લીધે મોટા અકસ્માતો સર્જાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ પેદા થાય છે.

રસ્તા પર રખડતા પશુઓથી છૂટકારો મેળવવા માટે નોઇડા ઓથોરિટી દ્વારા ઘણા પ્રકારના કડક નિયમો ઉઠાવવામાં આવી રહ્યા છે. તંત્રની ટીમ પાસેથી પશુઓને છોડાવવા માટે હવે પશુઓના માલિકો પાસેથી પહેલીવાર 10 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે. દંડની વધુ રાશિ 20 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે અને પશુના માલિક સામે કેસ પણ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ કેસમાં માત્ર 5 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવતો હતો અને કેસ દાખલ કરવાની કોઈ જોગવાઇ નહોતી.

નોઇડા ઓથોરિટીના મુખ્ય કાર્યપાલક અધિકારી ડૉ. લોકેશ અઠવાડિયામાં 3-4 દિવસ ફીલ્ડમાં જઇને નીરિક્ષણ કરી રહ્યા છે. દરેક વખતે તેમને રસ્તાઓ પર પશુઓ નજર આવે છે. જેને કારણે અવ્યવસ્થા અને ટ્રાફિક સર્જાય છે. ભંગેલ રોડ પર નીરિક્ષણ દરમિયાન વધારે સંખ્યામાં પશુઓ જોવા મળ્યા. તેને કારણે રસ્તા પર ટ્રાફિક જોવા મળ્યો અને અવ્યવસ્થા સર્જાઇ. કાર્યપાલક અધિકારીએ જન સ્વાસ્થ્ય વિભાગને ફટકાર લગાવતા દંડની રાશિ વધારવાનો નિર્ણય લીધો અને FIR દાખલ કરાવવાની વાત કરી.

જનસ્વાસ્થ્ય વિભાગના ઓફિસરોનું કહેવું છે કે, રખડતા પશુઓને રાખવા માટે સેક્ટર 14A શનિ મંદિરની પાસે અને સેક્ટર 135માં ગૌશાળા બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે દંડ લેવાની સાથે માલિકો પાસેથી શપથ પત્ર લેવામાં આવતો હતો. પણ હવે દંડની રકમ વધારી દેવામાં આવી છે. સાથે જ જો વારે વારે તેમના તરફથી આવી સ્થિતિ પેદા કરવામાં આવશે તો પશુ માલિકો સામે FIR પણ દાખલ કરવામાં આવશે.

જણાવીએ કે, ભારતમાં એમ પણ રખડતા પશુઓની સંખ્યામાં ઘટાડો થવાની જગ્યાએ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. જોવામાં આવ્યું છે કે દૂધ ધાવણ પછી માલિક ગૌવંશને રસ્તા પર છોડી દે છે, જેને કારણે અવ્યવસ્થા પેદા થાય છે. પહેલીવાર 10 હજાર, બીજી વાર નિયમનો ભંગ કરવા પર 15 હજાર રૂપિયા અને ત્રીજી વાર નિયમનો ભંગ કરવા પર 20 હજાર રૂપિયા દંડ લેવાની જોગવાઇ કરવામાં આવી છે. સાથે જ FIR દાખલ કરવાની વાત કહેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.