અજીત પવારના CM બનવાવાળા નિવેદન પર ફડણવીસની આવી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજીત પવારે મુખ્યમંત્રી પદની મહત્ત્વકાંક્ષા જાહેર કરી હતી. જેને લઈને મહારાષ્ટ્રમાં જોરદાર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અજીત પવારના નિવેદન પર હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે, અમે તેમને શુભેચ્છા (NCP નેતા અજીત પવારને) પાઠવીએ છીએ. મેં અજીત પવારનું ઇન્ટરવ્યૂ જોયું નથી. તેની સાથે જ તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી બનાવવામાં કોઈ ખરાબી નથી.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ઘણા લોકો તેમને પસંદ કરે છે, પરંતુ દરેક મુખ્યમંત્રી નહીં બની શકતું નથી. અમે તેમને (અજીત પવારને) શુભેચ્છા પાઠવીએ છીએ. મહાવિકાસ અઘાડી (MVA)ને લઈને પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, મને ખબર નથી કે મહાવિકાસ અઘાડીની અંદર શું ચાલી રહ્યું છે. મેં વારંવાર કહ્યું છે કે તેઓ પોતે ‘વજ્ર મૂઠ’ (મુઠ્ઠી) કહી રહ્યા છે, પરંતુ તેમાં ઘણી દરારો છે. એ મુઠ્ઠી ક્યારેય નહીં હોય શકે.

ઉલ્લેખનીય છે કે, અજીત પવારે કહ્યું હતું કે, તેમનું સંગઠન 2024માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની રાહ જોવાની જગ્યાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે પણ દાવો કરી શકે છે. તેમણે સ્પષ્ટ કહી દીધું કે, તેઓ 100 ટકા મુખ્યમંત્રી બનવાનું પસંદ કરશે. તેને લઈને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતની પણ પ્રતિક્રિયા આવી છે. સંજય રાઉતે કહ્યું કે, કોણ મુખ્યમંત્રી બનવા નહીં માગે? અને અજીત પવાર મુખ્યમંત્રી બનવા માટે સક્ષમ છે.

તેઓ ઘણા વર્ષોથી રાજનીતિમાં છે અને ઘણી વખત મંત્રી રહ્યા છે. તેમની પાસે સૌથી વધુ વખત નાયબ મુખ્યમંત્રી પદ પર રહેવાનો રેકોર્ડ છે. દરેક વિચારે છે કે તેણે મુખ્યમંત્રી બનવું જોઈએ. તેની સાથે જ તેમણે કહ્યું કે, તેમણે (અજીત પવારે) પહેલી વખત ઈચ્છા વ્યક્ત કરી નથી એટલે તેમને મારી શુભેચ્છા. અજીત પવારનું નિવેદન NCPમાં દરારોની અફવાઓ વચ્ચે આવ્યું છે, જેમાં અજીત પવારના ભવિષ્યના રાજનૈતિક પગલાંને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.

મહાવિકાસ અઘાડી ગઠબંધનની વાત કરતા અજીત પવારે કહ્યું કે, અમે ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ થવા બાબતે વાત કરતા હતા, પરંતુ 2019માં અમે કોંગ્રેસ અને NCPએ સરકાર બનાવવા માટે શિવસેના સાથે ગઠબંધન કર્યું. એટલે અમે ધર્મનિરપેક્ષતાથી અલગ થઈ ગયા કેમ કે શિવસેના એક હિન્દુત્વવાદી પાર્ટી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.