એક, બે નહીં, પરંતુ 4 ટોયલેટ સીટ, તે પણ દરવાજા વગર..,સરકાર તરફથી ઓર્ડર હતો: ઓફિસર

એક-બે નહીં, ચારેય ટોયલેટ સીટ એક સાથે બેસવા માટે બનાવવામાં આવી. આ પહેલા પણ UPના બસ્તી જિલ્લામાં બે ટોયલેટ સીટ એકસાથે બેસવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે, હવે અધિકારીઓ કહી રહ્યા છે કે આ ડિઝાઇન માટે સરકાર તરફથી ઓર્ડર આવ્યો હતો. બસ્તી જિલ્લાના રૂધૌલી બ્લોકના ધંસા ગામમાં જિલ્લા પંચાયત રાજ વિભાગની વધુ એક ઘટના સામે આવી છે. સાર્વજનિક શૌચાલયમાં એકસાથે ચાર બેઠકો લગાવવામાં આવી હતી. આ પહેલા કુદરહા બ્લોકમાં પણ ડબલ પોટ ટોઇલેટ ચર્ચાનો વિષય બન્યો હતો. એક રૂમમાં બે શૌચાલય બનાવીને અનોખી અજાયબી પણ દર્શાવવામાં આવી હતી અને હવે વધુ એક નવું પરાક્રમ સામે આવ્યું છે.

ચાર સીટનો ટોઇલેટ ચર્ચાનો વિષય બની રહ્યો છે. ચાર દિવાલમાં એકસાથે ચાર સીટવાળા ટોયલેટ એ એન્જિનિયરિંગની અનોખી અજાયબી છે, તે પણ દરવાજા અને પાર્ટીશન વિના, જરા વિચારો જો ચાર લોકો એક સાથે એક રૂમમાં શૌચ કરવા જાય તો તેમની પ્રાઇવસી શું હશે? આ સિવાય ચાર લોકો એકસાથે શૌચ કરે તો સ્વચ્છતા રહેશે નહીં. જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય રહેશે. જો કે હજુ સુધી જાહેર શૌચાલયને સોંપવામાં આવ્યું નથી.

બસ્તી જિલ્લામાં બે ડબલ સીટ ટોયલેટ અને હવે ફોર સીટર ટોયલેટ એક વર્ષમાં જ ચર્ચાનો વિષય બન્યો છે, જો તે ડીઝાઈન મુજબ બનાવવામાં આવ્યો છે તો, તેમાં સ્વચ્છતાનું ધ્યાન કેમ ન રાખવામાં આવ્યું. જો ચાર લોકો એકસાથે શૌચાલયનો ઉપયોગ કરે તો બીમારીઓ પણ ફેલાઈ શકે છે. સૌથી મોટી વાત તો એ છે કે આ પ્રકારના અજાયબી શૌચાલય બસ્તીમાં જ કેમ વારંવાર ચર્ચાનો વિષય બને છે, જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં આવા સામુદાયિક શૌચાલય બનાવવામાં આવ્યા છે.

સાથે જ CDO રાજેશ પ્રજાપતિએ જણાવ્યું કે, ચાર સીટવાળા ટોયલેટ પર સરકારની ડીઝાઈન આવી હતી, જેમાં નાના બાળકો માટે ખુલ્લામાં શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 39 શૌચાલય બનાવવામાં આવ્યા છે. જો તપાસમાં કોઈ ક્ષતિ જણાશે તો બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. શૌચાલય ડિઝાઇન અને ધોરણ મુજબ બને છે કે કેમ તે DPROને સોંપવામાં આવ્યું છે. SDMએ કહ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર રીતે કંઈક કહી શકાશે. તેમણે ડિઝાઇન, નકશા અને અંદાજને લગતી ફાઇલો પણ મંગાવી છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા કુદરહા બ્લોક વિસ્તારના ગૌરા ધુંધા ગામમાં એક શૌચાલયમાં બે સીટ લગાવવાનો વીડિયો વાયરલ થયો હતો. સચિવ અને પ્રધાને ગૌરા ધુંધા ગામમાં 10 લાખના ખર્ચે સામુદાયિક શૌચાલય બનાવ્યું હતું. આ સામુદાયિક શૌચાલયમાં એક જ સમયે માત્ર બે જ શૌચાલયની બેઠકો લગાવવામાં આવી હતી અને દરવાજા પણ લગાવવામાં આવ્યા ન હતા. વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પંચાયત રાજ અધિકારી નમ્રતા શરણે કારણ બતાવો નોટિસ બહાર પડી હતી.

About The Author

Related Posts

Top News

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક ...
Gujarat 
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    
Copyright (c) Khabarchhe All Rights Reserved.