અદાણી મામલે અમિત શાહ બોલ્યા-અમારી વિરુદ્ધ પુરાવા હોય તો કોર્ટ જાઓ

PC: ANI

કેન્દ્રીય મંત્રી અમિત શાહે અદાણી મામલે કોંગ્રેસ અને હોબાળો કરનારી વિપક્ષી પાર્ટીઓ પર પલટવાર કર્યો છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે, જો વિપક્ષી પાર્ટીઓ પાસે કોઈ પુરાવા છે તો તેઓ કોર્ટ જાય. પુરાવાઓ વિના કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ હોબાળો કરતી રહે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભાજપે અદાણી મામલે કશું જ ખોટું કર્યું નથી. આ કારણે પાર્ટીએ વિપક્ષી પાર્ટીઓના આરોપોથી ક્યારેય ડરવાનું નથી. પહેલી વખત સરકાર તરફથી અદાણી મામલે વિપક્ષી પાર્ટીઓને પડકાર આપવામાં આવ્યો છે.

જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે, કોંગ્રેસ મિત્રતાને લઈને ભાજપ પર સવાલ ઊભા કર્યા છે. તમારી સરકાર પર અદાણીની મદદ કરવાનો આરોપ લાગી રહ્યો છે. તેના પર અમિત શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધું છે. સાંસદ હોવાના કારણે એવામાં મારું બોલવાનું સારું નથી, ભાજપ પાસે છુપાવવા માટે કશું જ નથી, ન તો અમારે ડરવાની જરૂરિયાત છે. નિર્મલા સીતારમણે પણ સંસદમાં કહ્યું હતું, અમારે કોંગ્રેસ પાસેથી ભ્રષ્ટાચાર બાબતે શીખવાની જરૂરિયાત નથી.

અમને જે પાઠ ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, અમને તમારી પાસે શીખવાની જરૂરિયાત નથી. પરંતુ રાહુલ ગાંધીની આખી સ્પીચ અદાણી, અદાણી અદાણી પર હતી. તેના પર અમિત શાહ કહે છે કે, એ તો તેમણે શું સ્પીચ આપવાની છે એ તો તેમણે વિચારવું જોઈએ. તેમની જે સ્ક્રિપ્ટ લખે છે એ લોકોએ વિચારવું જોઈએ. તેમાં હું કંઈ નહીં કરી શકું. કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ સતત અદાણીના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરી રહી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી નેતાઓનો આરોપ છે કે નરેન્દ્ર મોદીએ અદાણીની ભરપૂર મદદ કરી છે. જેના કારણે વર્ષ 2014 બાદ અદાણીની સંપત્તિમાં વધારો થયો. રાહુલ ગાંધીએ તો લોકસભામાં એવો આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક વિદેશી પ્રવાસ બાદ અદાણી ગ્રુપને બીજા દેશોમાં કોન્ટ્રાક્ટ મળ્યા. ભાજપે આ આરોપ પર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનની નોટિસ આપી છે.

સંસદની વિશેષાધિકાર કમિટીએ રાહુલ ગાંધીને પોતાના આરોપોના પુરાવા 15 ફેબ્રુઆરીના રોજ સોંપવા કહ્યું છે. ભાજપે અદાણીના મામલે મોદી પર આરોપ લગાવવા પર રાહુલ ગાંધીને માફી માગવા કહ્યું છે. અમે અમિત શાહે પણ રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓને સીધો પડકાર આપ્યો છે કે જો તેમની પાસે પુરાવા હોય તો તેઓ કાયદાકીય માર્ગે જઇ શકે છે. અમિત શાહના આ પલટવારથી ભાજપના નેતાઓને વધુ મજબૂતી મળશે. હવે સૌની નજર તેના પર છે અમે અમિત શાહના અદાણી મામલા પર પલટવાર પર કોંગ્રેસ અને વિપક્ષ પાર્ટીઓના નેતા શું જવાબ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp