પત્નીની હત્યા કરી લાશના ટુકડા કરી પાણીની ટાંકીમાં નાખ્યા, આ રીતે ખુલ્યું રહસ્ય

છત્તીસગઢના બિલાસપુરથી એક હૃદય હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે તેની પત્નીની ઘાતકી હત્યા કરી નાખી. પછી મૃતદેહના અનેક ટુકડા કરી પાણીની ટાંકીમાં મૂકી દીધા. મળતી માહિતી મુજબ, આરોપીએ મૃતદેહને લગભગ 2 મહિના સુધી પાણીની ટાંકીમાં છુપાવીને રાખ્યો હતો.

આ મામલો બિલાસપુરના ઉસલાપુર પોલીસ સ્ટેશનનો છે. વાસ્તવમાં, પતિને શંકા હતી કે તેની પત્નીના કોઈની સાથે આડાસંબંધ છે, જેના કારણે તેણે તેની પત્નીની હત્યા કરી નાંખી. હત્યા કર્યા બાદ આરોપી પતિએ પોતાને બચાવવા માટે લાશના ટુકડા કરી પાણીની ટાંકીમાં મૂકી દીધા હતા. જ્યારે પોલીસે સ્થળ પર પહોંચીને શોધખોળ કરી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેને પાણીની ટાંકીમાં એક બેગ મળી જેમાં શરીરના અંગો હતા.

પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપી પતિએ જણાવ્યું કે, તેને તેની પત્ની પર શંકા હતી. તેને લાગ્યું કે તેની પત્નીનું કોઈ સાથે અફેર છે. જે બાદ તેણે હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ સીતા સાહુ તરીકે થઈ છે જ્યારે આરોપીની ઓળખ પવન ઠાકુર તરીકે થઈ છે. હાલ પોલીસ આ કેસમાં આરોપી પવન ઠાકુરની પૂછપરછ કરી રહી છે.

મળતી માહિતી મુજબ પોલીસે આરોપી પવન ઠાકુરની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસ આરોપીના ઘરે શોધખોળ કરવા પહોંચી હતી. જે બાદ અહીંનું દ્રશ્ય જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોલીસને આરોપીના ઘરમાંથી અજીબ પ્રકારની ગંધ આવી રહી હતી. જ્યારે પોલીસકર્મીઓએ શોધખોળ દરમિયાન પાણીની ટાંકી ખોલી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પાણીની ટાંકીમાંથી એ જ શબના નાના ટુકડા મળી આવ્યા હતા. પોલીસે આરોપીના ઘરેથી નકલી નોટોના બંડલ અને નોટ ગણવાનું મશીન પણ જપ્ત કર્યું છે.

આરોપી પવન ઠાકુરે પોલીસને જણાવ્યું કે, તે તેની પત્ની અને બે બાળકો સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તેને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, જેના કારણે તેણે 5 જાન્યુઆરીએ તેની હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે મૃતદેહના અનેક ટુકડા કરી પાણીની ટાંકીમાં મૂકી દીધા. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી તેના બે પુત્રોને તેમના માતા-પિતા પાસે તખ્તપુર મૂકીને આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંનેના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.