મહિલાએ મુસ્લિમ ધર્મ છોડી અપનાવ્યો સનાતન ધર્મ,શિવજીને ચઢાવ્યો 19 તોલા સોનાનો મુગટ

એક NRI મહિલાએ ગાઝિયાબાદના ડાસનામાં શિવ શક્તિ ધામ મંદિરમાં ભગવાન શિવને 19 તોલા સોનાનો મુગટ અર્પણ કર્યો છે. આ મુગટની કિંમત 12 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. મહિલા મંગળવારે ડાસના મંદિર પહોંચી અને અહીં ભગવાન શિવની પિંડી પર મુગટ ચઢાવ્યો. આ મહિલા મૂળ ગુજરાતની છે અને વ્યવસાયે અમેરિકામાં ડોક્ટર છે. એક વર્ષ પહેલા તેમણે મુસ્લિમ ધર્મ છોડીને સનાતન ધર્મ અપનાવ્યો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યા છે.

ડાસનાના શિવ શક્તિ ધામ મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદ ગિરીના જણાવ્યા અનુસાર, આ મહિલા ગુજરાતની રહેવાસી છે અને અમેરિકામાં ડોક્ટર છે. પાંચ વર્ષ પહેલા તે સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક દ્વારા તેની સાથે જોડાઈ હતી, ત્યારબાદ તે સનાતન ધર્મના સંપર્કમાં આવી હતી.આ મહિલા સનાતન ધર્મથી એટલી પ્રભાવિત થઈ ગઈ હતી કે, એક વર્ષ પહેલા તેણે ઈસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવ્યો હતો. જે બાદ મહિલાએ અહીં 12 લાખ રૂપિયાની કિંમતનો 19 તોલા શુદ્ધ સોનાનો મુગટ ભેટ કર્યો હતો. આ સાથે તેણે મંદિરમાં લાખો રૂપિયા અને ભગવાનના શ્રુંગારની અન્ય વસ્તુઓ પણ ચડાવી હતી.

શિવ શક્તિ ધામના પીઠાધીશ્વર યતિ નરસિમ્હાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, મહિલાએ મંદિરમાં સંપૂર્ણ વિધિ સાથે રુદ્રાભિષેક કર્યો અને પછી ભગવાન ભોલેનાથને શુદ્ધ સોનાનો મુગટ અર્પણ કર્યો. તેમણે કહ્યું કે, મહિલા NRI છે અને શિક્ષિત છે. મહિલાની ઈચ્છા પૂરી કર્યા બાદ તેણે આ મુગટ અર્પણ કર્યો છે. જોકે, તેમણે મહિલાનું નામ આપવાનો ઈન્કાર કર્યો હતો. મુગટ દાન કર્યા બાદ મહિલાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો દરેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

આ દરમિયાન મહંત યતિ નરસિમ્હાનંદે નવરાત્રિ દરમિયાન મંદિરોમાં દુર્ગા સપ્તશતી અને રામચરિતમાનસ પાઠનું આયોજન કરવા પર કહ્યું કે, તેઓ તેનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે સરકારોએ આ કામ પહેલાથી જ કરવું જોઈતું હતું.

મૂળ ગુજરાતની, અમેરિકામાં એક મહિલા ડૉક્ટરે પોતાની કમાણીનો 50 ટકા ભાગ સનાતન ધર્મ માટે ખર્ચ કર્યો છે. બીજી બાજુ, યતિ નરસિમ્હાનંદ સરસ્વતી દ્વારા, તેમને સનાતન ધર્મ વિશે જાણવા મળ્યું અને તે સંબંધથી બંને ગુરુ ભાઈ અને બહેન બની ગયા. બીજી તરફ મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, મંદિરમાં અગાઉ પણ ચોરી થઈ હતી, તેથી બહેને આપેલા આ મુગટને બાળીને મંદિરમાં જ અષ્ટધાતુથી બનેલી શિવની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.