નૂહ બુલડોઝર કાર્યવાહીને રોકી હતી, હવે હાઇકોર્ટની આ બેન્ચને સુનાવણીથી કેમ હટાવાઇ?

પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટની એક બેન્ચે 7 ઑગસ્ટના રોજ નૂહ અને ગુરુગ્રામમાં થયેલી હિંસા પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. કોર્ટે હિંસા બાદ નૂહમાં લોકોના ઘર પર કરવામાં આવી રહેલી બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. સાથે જ કોર્ટે હરિયાણા સરકારને સવાલ કર્યો હતો કે, શું રાજ્ય જાતીય સંહાર કરવાના પ્રયાસ કરી રહી છે? હવે આ બેન્ચને બદલી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, 10 ઑગસ્ટની મોડી રાત્રે થયેલી કોર્ટની આ બેન્ચને બદલી દેવામાં આવી.

બેન્ચ આજે (11 ઑગસ્ટના રોજ) સુનાવણી કરવાની હતી. એ અગાઉ બેન્ચની બદલી કરી દેવામાં આવી છે. તેમાં જસ્ટિસ જી.એસ. સંઘાવાલિયા અને જસ્ટિસ હરપ્રીત કૌર જીવણ સામેલ છે. હવે જસ્ટિસ અરુણ પલ્લી અને જસ્ટિસ જગમોહન બંસલની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. જસ્ટિસ જી.એસ. સંધાવાલિયા અને જસ્ટિસ હરપ્રીત કૌર જીવનની બેન્ચે હરિયાણા સરકારને પૂછ્યું હતું કે, જે ઇમારતો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે, શું તે કોઈ એક સમુદાયના લોકોની છે?

શું સરકાર કાયદા વ્યવસ્થાની આડમાં એમ કરી રહી છે? હાઇ કોર્ટે હરિયાણા સરકારને એક નોટિસ પણ જાહેર કરી હતી. કોર્ટે તેને જાહેર કરતા પોતાના આદેશમાં કહ્યું હતું કે, મુદ્દો એ પણ છે કે શું કાયદા વ્યવસ્થાની આડમાં કોઈ એક ખાસ સમુદાયની ઇમારતો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે? અને શું રાજ્ય સરકાર જાતીય સંહારનો પ્રયાસ કરી રહી છે?’ જાતીય સંહારને અંગ્રેજીમાં ‘એથનિક ક્લિનસિંગ’ કહેવામાં અવે છે, તેનો અર્થ છે કે કોઈ જગ્યાથી એક ખાસ સમુદાયને હટાવવા માટે બળ કે ધમકીનો ઉપયોગ કરવાનું.

કોર્ટે હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજના નિવેદન પર ટિપ્પણી કરી રહી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર સાંપ્રદાયિક હિંસાની તપાસ કરી રહી છે અને બુલડોઝર સારવારનો હિસ્સો છે. કોર્ટે અંગ્રેજી લેખક અને ઇતિહાસકાર લોર્ડ એક્ટનની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સત્તા ભ્રષ્ટ કરે છે અને નિરંકુશ સત્તા તમને પૂરી રીતે ભ્રષ્ટ કરી દે છે. કોઈ પણ નોટિસ વિના લોકોના ઘર ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. જાહેર છે કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ઇમારતો ધ્વસ્ત કરવામાં આવી રહી છે.

કોર્ટે હરિયાણા સરકારને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. તેમાં તેમણે જણાવવાનું હતું કે નૂહ અને ગુરુગ્રામમાં છેલ્લા બે અઠવાડિયામાં કેટલી ઇમારતો ધ્વસ્ત કરવામાં આવી? શું આ અગાઉ મકાન માલિકોને કોઈ નોટિસ આપવામાં આવી હતી? હાઇ કોર્ટના આદેશ બાદ પોલીસ નાયબ કમિશનર ધીરેન્દ્ર ખડગટાએ અધિકારીઓને બુલડોઝરની કાર્યવાહી રોકવા કહ્યું હતું. નૂહમાં 31 જુલાઇના રોજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની વૃજમંડળ યાત્રા દરમિયાન સાંપ્રદાયિક હિંસા થઈ હતી. તેમાં 6 લોકોના મોત થયા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.