સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસને પોલીસકર્મીએ છાતીમાં ગોળી મારી, હાલત ગંભીર

ઓરિસ્સાના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને ઝારસુગુડાના ધારાસભ્ય કિશોર દાસને એક પોલીસ કર્મીએ જનસભામાં જતી વખતે ગોળી મારી છે. કહવાઇ રહ્યું છે કે, ASI ગોપાલ દાસે લગભગ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં સ્વાસ્થ્ય મંત્રીની છાતીમાં ગોળી વાગી છે. આનન ફાનનમાં નબ કિશોર દાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે. ઘટના બપોરે લગભગ સવા બાર વાગે વ્રજરાજ નગરના ગાંધી ચોક પર થઇ છે.

અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર, નબ કિશોર દાસ વ્રજરાજનગરમાં એક કાર્યક્રમમાં શામેલ થવા માટે આવ્યા હતા. સૂત્રો અનુસાર, પોલીસ કર્મીએ વાહનની બહાર નીકળ્યા બાદ નબ દાસ પર ગોળીબારી શરૂ કરી દીધી. ફાયરિંગ પાછળના કારણની હજુ સ્પષ્ટ જાણકારી મળી નથી શકી. આરોપિત પોલીસ કર્મીને હિરાસતમાં લેવામાં આવ્યા છે. પોલીસ કર્મીની પુછપરછ ચાલુ છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, જનસભામાં ભાગ લેવા માટે જતી વખતે નબ કિશોર દાશ પર ઓછામાં ઓછા 5 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. તેમની છાતીમાં ગોળી વાગી છે. દાસને સ્થાનિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. આ ઘટના બાદ કાર્યક્રમ સ્થળ પર હડકંપ મચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રી પર ફાયરિંગની ઘટના બાદ બીજુ જનતા દળના કાર્યકર્તાઓના ધરણા પર બેસવાથી ત્યાં તણાવની સ્થિતિ પેદા થઇ છે.

ઉલ્લેખનીય છે કે, બીજુ જનતા દળના વરિષ્ઠ નેતા નબ કિશોર દાસ હાલમાં જ ખબરોમાં હતા, જ્યારે તેમણે કથિત રૂપે મહારાષ્ટ્રના એક મંદિરના 1 કરોડ રૂપિયાથી વધારેનું સોનાનું કળશ દાન કર્યું હતું. દાસે કથિત રૂપે મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરને 1.7 કિલોગ્રામ સોનુ અને 5 કિલોગ્રામ ચાંદીથી બનેલું કળશ દાન કર્યું હતું, જે દેશના પ્રસિદ્દ શનિ મંદિરોમાંથી એક છે.

નબ કિશોર દાસે ઝારસુગુડા વિધાનસભા ક્ષેત્રથી 2004માં પહેલી વખત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી, જેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ 2009માં ફરી તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી અને જીત્યા હતા. 2014ની ચૂંટણીમાં પણ દાસે કોંગ્રેસ પ્રત્યાશીના રૂપમાં ઝારસુગુડા વિધાનસભાથી ચૂંટણી લડીને જીત નોંધાવી હતી. વર્ષ 2019ની ચૂંટણીમાં તેઓ સતત ત્રીજી વખત આ સીટ પરથી ધારાસભ્ય ચૂંટાયા. નબ કિશોર દાસને ક્ષેત્રમાં પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.