અંજુના લગ્ન પર સીમા હૈદરે કહ્યું- 'ત્યાં જો ખબર પડી કે તમે હિન્દૂ છોકરા સાથે...'

સચિનને મળવા પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની ચર્ચાઓની વચ્ચે પોતાના ફેસબુક મિત્ર નસરુલ્લાને મળવા પાકિસ્તાન પહોંચેલી અંજુએ તેની સાથે લગ્ન કરી લીધા છે. અંજુએ લગ્ન કરવા પહેલા પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. અંજુએ ઇસ્લામ સ્વીકારી અને પોતાનું નામ ફાતિમા રાખ્યું છે.

નિકાહનામાના સોગંદપત્રમાં, અંજુએ પોતાની ઇચ્છાથી ઇસ્લામ અપનાવવાની અને નસરુલ્લાને તેનો કાયદેસર પતિ માનવાની વાત કરી છે. આ પહેલા સીમા હૈદરે એક TV ઈન્ટરવ્યુમાં અંજુના પાકિસ્તાન જવા અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ભારત એક એવો દેશ છે, જ્યાં માણસ બધું જ કરી શકે છે. સીમા હૈદર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને નેપાળ થઈને ભારત આવી છે અને ATS સીમાની પૂછપરછ કરી રહી છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન સીમા હૈદરને એવું પૂછવામાં આવ્યું કે, ભારતની અંજુ પાકિસ્તાની છોકરાના પ્રેમમાં સરહદ પાર કરી ગઈ છે. જોકે, તે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને પછી પાકિસ્તાન ગઈ છે. તમારું તેના વિશે શું કહેશો?

આના જવાબમાં સીમાએ કહ્યું, 'તે (અંજુ) ભારતમાં રહેતી હતી. ભારત એક એવો દેશ છે, જ્યાં એક માણસ બધું જ કરી શકે છે. જ્યારે પાકિસ્તાન એક એવો દેશ છે, જ્યાં જો કોઈને ખબર પડે કે, સીમા બહાર ગઈ છે અથવા કંઈક કરી રહી છે, તો તે મારા માટે ખૂબ જ ખરાબ થયું હોત. જો હૈદરને ખબર પડી ગઈ હોત કે, હું એક હિન્દુ છોકરાના પ્રેમમાં છું, તો તે મને મારી નાખતે.'

જ્યારે સીમાને પૂછવામાં આવ્યું કે, તેઓ ભારત અને પાકિસ્તાનમાં મહિલાઓની સ્થિતિમાં શું તફાવત જુએ છે? તેના જવાબમાં સીમાએ કહ્યું, 'સિંધ અને બલોચમાં મહિલાઓનું કોઈ સન્માન નથી. સિંધ પ્રદેશમાં અમારી ઉંમરની કોઈ પણ છોકરી ભણેલી ગણેલી નથી. ભૂલથી પણ માથા પરથી દુપટ્ટો સરકી ગયો હોય તો પણ તેઓ અમારી સાથે ગાળો બોલીને ખરાબ વ્યવહાર કરે છે. ત્યાં ઘણી પાબંદી છે. ઘરની બહાર નીકળતી વખતે આંખો સુધી બુરખો પહેરવો પડે છે. જ્યારે ભારતમાં મને અહીં ઘણું સન્માન મળી રહ્યું છે, અહીંયાના લોકો ઘણા સારા છે. મહિલાઓને ઘણું સન્માન મળે છે અહીંયા.'

અંજુ થોમસે પાકિસ્તાનમાં તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લા સાથે લગ્ન કરતા પહેલા ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ ફાતિમા રાખ્યું. રિપોર્ટ અનુસાર, બંનેએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લાની કોર્ટમાં કાયદેસરના લગ્ન કર્યા હતા. પાકિસ્તાનના મલકંદ ડિવિઝનના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ નાસિર મહેમૂદ સત્તીએ અંજુ અને નસરુલ્લાના લગ્નની સાબિતી આપી છે.

પોલીસ અધિકારીએ કહ્યું છે કે, અંજુએ ઈસ્લામ અપનાવ્યા પછી પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું છે. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ નાસિર મેહમૂદ સત્તીએ એમ પણ કહ્યું છે કે, લગ્ન કાર્ય પછી અંજુને પોલીસ સુરક્ષા હેઠળ કોર્ટમાંથી ઘરે મોકલી દેવામાં આવી છે.

પાકિસ્તાની એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, અંજુ અને નસરુલ્લાએ પાકિસ્તાની કાયદાની કલમ 164 હેઠળ નિવેદન નોંધ્યું છે, જેમાં કહ્યું છે કે, તેઓએ પોતાની મરજીથી લગ્ન પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય અંજુએ કોર્ટને કહ્યું છે કે, તે પોતાની મરજીથી પાકિસ્તાન આવી છે અને અહીં ખૂબ જ ખુશ છે. પોલીસે એ વાતની સાબિતી આપી છે કે, અંજુ 22 જુલાઈના રોજ વાઘા બોર્ડરથી પાકિસ્તાન પહોંચી હતી. રાવલપિંડી આવીને નસરુલ્લા અંજુને તેના ઘરે લઇ ગયો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.