શિંદે સરકારમાં મંત્રી બનતા જ શરદ પવારના ઘરે કેમ ગયા અજીત પવાર?

શિંદે સરકારમાં નાણા મંત્રી બનતા જ અજીત પવારે અચાનક નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. શરદ પાવર સાથે તેમના આવાસ પર જ આ મુલાકાત થઈ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં જે પ્રકારની રાજકીય રમત રમાઈ છે, ત્યારબાદ આ મુલાકાતે ચર્ચાઓનો બજાર ગરમ કરી દીધો છે. આમ હવે મીટિંગનું અસલી કારણ સામે આવી ગયું છે.

શરદ પવારને કેમ મળવા ગયા અજીત પવાર?

હકીકતમાં શુક્રવારે શરદ પવારના પત્ની પ્રતિભા પવારનું ઓપરેશન થયું હતું. આ ઓપરેશન બાદ તેમને રજા આપી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોતાની કાકીની હાલચાલ જાણવા માટે જ અજીત પવાર શરદ પવારના ઘરે ગયા હતા. ત્યાં તેમની શરદ પવાર સાથે વાતચીત પણ સંભવ હતી. એટલે કે રાજનીતિક ગલિયારામાં મુલાકાતને જરૂર રાજકીય ચશ્માથી જોવામાં આવી રહી છે, પરંતુ અજીત પવાર કેમ્પ તેને માત્ર એક શિષ્ટાચાર ભેટ સુધી સીમિત રાખવા માગે છે.

શુક્રવારે શિંદે સરકારમાં અજીત પવારને નાણાં મંત્રાલય સોંપી દેવામાં આવ્યું, આ એ મંત્રાલય છે જેના પર શિંદે કેમ્પના ધારાસભ્યોની પણ નજર હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ સાથે ઘણા શિવસૈનિકોના સંબંધ પણ આ જ કારણે તૂટ્યા હતા કેમ કે મહાવિકાસ અઘડી (MVA) સરકારમાં અજીત પવારના નાણા મંત્રી રહેતા યોગ્ય રીતે ફંડ મળતા નહોતા. ઘણા વિકાસ કાર્ય રોકાઈ ગયા હતા. આ જ તર્કોના આધાર પર માગ કરાવામાં આવી હતી કે, શિંદે સરકારમાં અજીત પવારને નાણાં મંત્રાલય ન આપવામાં આવે, પરંતુ તેને રાજકીય પ્રેશર કહેવામાં આવે કે કંઈક બીજું, શિંદે કેમ્પના ધારાસભ્યોની માગ ન માનવામાં આવી.

ઔરંગાબાદ વેસ્ટના ધારાસભ્ય સંજય શિરાસતનું કહેવું છે કે, ઉદ્ધવ સરકારના કાર્યકાળ દરમિયાન શિવસેનાના ધારાસભ્યોને મળનારું ફંડ 50 કરોડ રૂપિયાને આસપાસ હતું તો NCPના ધારાસભ્ય 700 થી 800 કરોડ રૂપિયા સુધી પડાવી લઈ જતા હતા. નાણા મંત્રી અજીત પવાર હતા તો તેઓ મનમાનીપૂર્ણ નિર્ણય લેતા હતા. સંદીપન ભૂમરેનું કહેવું છે કે, ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ એકનાથ શિંદે ક્યાંય નહોતા. તેઓ અજીત પવારનો વિરોધ કરતા હતા. તેમનું કહેવું હતું કે, અજીત પવાર જે પ્રકારે ધારાસભ્યોને ફંડ આપી રહ્યા છે, તેનાથી શિવસેના નબળી થઈ જશે. તે MVAથી બહાર આવ્યા હતા, તો માત્ર NCPના કારણે.

હવે પ્રતિક્રિયાઓ બતાવવા માટે ઘણા છે કે શિંદે કેમ્પમાં બધુ બરાબર નથી. સમાચારો પહેલા પણ હતા, પરંતુ અજીત પવારના નાણા મંત્રી બનતા જ ઘણી વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે. હવે આગામી દિવસોમાં ભાજપ કયા પ્રકારે સ્થિતિ બૅલેન્સ કરે છે, મુખ્યમંત્રી એકનાથ શિંદે કેવી રીતે આગળ વધે છે તેના પર બધાની નજરો રહેવાની છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.