માનતા પૂરી થવા પર સાંવરિયા સેઠના મંદિરમાં આઠ કરોડ રોકડનો ચઢાવો, દાગીના તો...

PC: etvbharat.com

દેશના સૌથી ધનાઢ્ય મંદિરોમાં ગણતરી થતા એક માત્ર ભગવાન સાંવરિયા સેઠની તિજોરી ફરીથી ખોલવામાં આવી છે. મહિનામાં એકવાર ખોલવામાં આવતી તિજોરીમાંથી માત્ર બે દિવસની ગણતરીમાં આઠ કરોડથી વધુની રોકડ બહાર આવી છે. આ પ્રસાદ લોકો પોતાની માનતા પુરી થતા ચડાવતા હોય છે. અનેક પેટીઓમાં બંધ રોકડની ગણતરી હજુ ચાલુ છે. આ ઉપરાંત મોટી માત્રામાં જ્વેલરી અને વિદેશી ચલણની ગણતરી પણ કરવામાં આવી રહી છે.

આ તમામ પ્રસાદ ભગવાનને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં અર્પણ કરવામાં આવ્યો છે. તે ટ્રસ્ટના બેંક ખાતામાં નિયમ મુજબ જમા કરવામાં આવે છે. આ પ્રસાદથી મંદિરને લગતા વિકાસ કામો અને અન્ય કામો થતા હોય છે. ચિત્તોડગઢ જિલ્લામાં સ્થિત સાંવરિયા સેઠના મંદિરની ગણના દેશના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં થાય છે. દર વર્ષે મંદિરમાં લગભગ 80 કરોડથી એક અબજનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

રાજભોગ આરતી બાદ મંદિર મંડળના પ્રમુખ ભૈરૂલાલ ગુર્જરની હાજરીમાં રોકડ ગણતરીનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. મંદિર મંડળના સદસ્ય અશોક શર્મા, ભેરૂલાલ સોની, શંભુલાલ સુથારની હાજરીમાં સાંજ સુધી રોકડની ગણતરી કરવામાં આવી હતી. આ દરમિયાન બે કરોડ બે લાખ 5000 રૂપિયાની ગણતરી કરવામાં આવી હતી. મંદિર વિભાગના પ્રશાસનિક અધિકારી ફેશિયલ નંદકિશોર ટેલરના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં 5 કરોડ 98,34,000 રૂપિયાની ગણતરી થઈ શકી છે.

બીજા તબક્કામાં 2 કરોડ 2,05,000 રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીની નોટો અને ચિલ્લરની ગણતરીનો હજુ રાઉન્ડ બાકી છે. આ ઉપરાંત સ્ટોર અને ગિફ્ટ રૂમના સોના-ચાંદીનું વજન અને ઓફિસમાં જમા થયેલી દાનની રકમની વિગતો પણ તૈયાર કરવાની બાકી છે. આ વખતે ભંડારાની રકમ ₹100000000 (દસ કરોડ) સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે એસ્ટેટ ઓફિસર કાલુ લાલ તેલી, સિક્યુરીટી ગાર્ડ રામસિંહ ચૌહાણ તેમજ મંદિર મંડળ અને વિવિધ બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓ રોકડની ગણતરી માટે રોકાયેલા હતા. બાકીની રકમની ગણતરી મંગળવારે ફરી શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાંવરિયા સેઠને દાનમાં મળેલી રકમ અને ઝવેરાતની ગણતરી દર મહિને કરવામાં આવે છે.

દર વર્ષે કરોડો શ્રધ્ધાળુઓ અહીં સાંવરિયા સેઠના દર્શન કરવા આવે છે. મંદિરના પ્રબંધનનું કહેવું છે કે, સાંવરિયા સેઠની પાસે સાચા દિલથી માંગો તો તે દરેકની ઈચ્છા પૂરી કરે છે અને જ્યારે ઈચ્છા પૂરી થાય છે ત્યારે લોકો ખુશીથી સેઠના દરબારમાં હાજરી આપે છે અને ભેટ આપે છે. મંદિર પ્રબંધન દર મહિનાના અંતમાં પૂજા પછી પ્રસાદની રકમની ગણતરી કરે છે. મંદિર પ્રબંધન ઉપરાંત બેંકોનો સ્ટાફ પણ આ ગણતરીમાં હાજર રહે છે. ટ્રસ્ટના અનેક બેંકોમાં ખાતા છે. જન્માષ્ટમી અને અન્ય મોટા તહેવારો પર, ભક્તોની સંખ્યા અને પ્રસાદ બંને અનેકગણો વધી જાય છે. જે ભક્તો વિદેશ કે અન્ય રાજ્યોમાંથી આવી શકતા નથી તેઓ પણ કુરિયર કે અન્ય માધ્યમથી ભેંટ મોકલે છે. સાંવરિયા સેઠ તેમની ઈચ્છા પૂરી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp