બાબા સાહેબ આંબેડકરની તસવીરો લગાવી શકશો નહીં: મદ્રાસ હાઇકોર્ટનો આદેશ

મદ્રાસ હાઇકોર્ટે એક આદેશમા કહ્યું છે કે તમિલનાડુ અને પુડુચેરીની અદાલતમાં માત્ર મહાત્મા ગાંધીજી અને તિરુવલ્લુરની તસ્વીરો જ મુકી શકાશે. બાબા સાહેબ આંબેડકરનો ફોટો મુકી શકાશે નહીં. કોર્ટના આ આદેશ પર કેટલાંક વકીલો ગિન્નાયા છે.

બાબા સાહેબ આંબેડકરની તસવીરને લઈને મદ્રાસ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે તમિલનાડુ અને પુડુચેરીની અદાલતો માત્ર મહાત્મા ગાંધી અને તમિલ કવિ-સંત તિરુવલ્લુવરની તસ્વીરો મૂકી શકે છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે 7 જુલાઈના રોજ આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.

કાંચીપુરમના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સહિત તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટને એક પરિપત્ર જારી કરીને સુચના આપવામાં આવી છે કે તેઓ અલંદુરમાં બાર એસોસિએશનને કોર્ટ સંકુલના પ્રવેશદ્વાર પરથી બીઆર આંબેડકરનો ફોટો હટાવવાનું કહે. વાસ્તવમાં, ઘણા એડવોકેટ એસોસિએશને આંબેડકરના ફોટા અને સંબંધિત એસોસિએશનના વરિષ્ઠ વકીલોની તસ્વીરો અનાવરણ કરવાની પરવાનગી માંગી છે. 11 એપ્રિલે યોજાયેલી બેઠકમાં હાઈકોર્ટની ફુલ બેન્ચે આવી તમામ અરજીઓ ફગાવી દીધી હતી.

આ અંગેના જૂના આદેશોનો ઉલ્લેખ કરીને પરિપત્રમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ બની છે, જેના પરિણામે વિવિધ સ્થળોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. 2010માં પણ કોર્ટ પરિસરમાં કોઇ અન્ય પ્રતિમાઓ બનાવવાની મંજૂરી ન આપવાનો કોર્ટે સંકલ્પ કર્યો હતો.

પરિપત્રમાંમાં કહેવામાં આવ્યું છે કે એ જ રીતે, 27 એપ્રિલ 2013ના રોજ, ફુલ કોર્ટે કાંચીપુરમના મુખ્ય જિલ્લા જજને આંબેડકરનું ચિત્ર હટાવવા માટે અલંદુર કોર્ટના વકીલ મંડળને સમજાવવા માટે નિર્દેશ આપ્યો અને કુડ્ડલોર બારની નવી રચાયેલી વિશેષ અદાલતોમાં તેમનું ચિત્ર સ્થાપિત કરવાની વિનંતીને નકારી કાઢી હતી.

પરિપત્રમાં આગળ કહેવાયું છે કે તાજેતરમાં 11 એપ્રિલના રોજ પૂર્ણ અદાલતે સમાન વિનંતી પર વિચારણા કરી અને અગાઉના તમામ ઠરાવોને પુનરાવર્તિત કર્યા અને સર્વાનુમતે નિર્ણય લીધો કે ગાંધીજી અને તિરુવલ્લુવરની પ્રતિમાઓ અને ચિત્રો સિવાય, કોર્ટ પરિસરની અંદર ક્યાંય પણ અન્ય ચિત્રો પ્રદર્શિત કરવામાં ન આવે.

રજિસ્ટ્રાર જનરલે નિર્દેશ આપ્યો કે કોઈપણ ઉલ્લંઘન સામે તમિલનાડુ અને પુડુચેરીની બાર કાઉન્સિલને યોગ્ય ફરિયાદ આપીને કાર્યવાહી કરવામાં આવશે.

મીડિયા અહેવાલોમાં જણાવ્યા મુજબ વકીલોના એક વર્ગે રજિસ્ટ્રારના આ પરિપત્રને પાછો ખેંચી લેવા માટે પ્રદર્શન કરવાની યોજના બનાવી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.