હૉસ્પિટલમાં વીજળી ગુલ, બેટરીના અજવાળે ગર્ભવતી મહિલાનું થયું ઓપરેશન

તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી સાથે સાથે સ્વાસ્થ્ય મંત્રી પણ છે. સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી સંભાળ્યા બાદ જ તેઓ સ્વાસ્થ્ય વ્યવસ્થા સારી કરવાનો દાવો કરે છે. ત્યારબાદ પણ સ્વાસ્થ્ય વ્યવસ્થાની હાલત ખરાબ અને હૉસ્પિટલમાં બેદરકારીની હકીકત સામે આવી રહી છે. એવી જ એક ઘટના મોતિહારીથી સામે આવી છે. અહીંની સદર હૉસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલાનું બેટરીના અજવાળે ડૉક્ટરોએ ઓપરેશન કરવું પડ્યું. CS અંજની કુમારને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે પહેલા સફાઇ આપી અને પછી તપાસની વાત કહી.

મીડિયા રિપોર્ટ મુજબ, સદર હૉસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાં એક ગર્ભવતી મહિલા દાખલ હતી. મેડિકલ કારણોથી મહિલાનું ઓપરેશન કરવું જરૂરી હતું. આ દરમિયાન સદર હૉસ્પિટલની વીજળી જ ગાયબ હતી. જનરેટર પણ ચાલી રહ્યું નહોતું. અહીં સુધી કે ઈન્વર્ટર પણ કામ કરી રહ્યું નહોતું. ગર્ભવતી મહિલાની સ્થિતિ બગડતી જઈ રહી હતી. એવામાં સદર હૉસ્પિટલના મહિલા ડૉક્ટર ડૉ. સુરુચિ સ્મૃતિએ ગર્ભાવતીની સ્થિતિને જોતા તાત્કાલિક બેટરીના અજવાળે ઓપરેશન કરવાનો નિર્ણય લીધો.

સારું થયું કે આ પરિસ્થિતિમાં મહિલા ડૉક્ટરે સફળતાપૂર્વક ઓપરેશન કર્યું. ઓપરેશન બાદ મહિલા અને નવજાતની સ્થિતિ સામાન્ય અને સ્થિર છે. જો કે, તમામ સરકારી દાવાઓ છતા સદર હૉસ્પિટલની આ સ્થિતિ શાસન અને પ્રશાસનને અરીસો દેખાડવા માટે પૂરતી છે. આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે અને હૉસ્પિટલ સંચાલક કૌશલ દુબેએ જણાવ્યું કે, કેટલીક ટેક્નિકલી ખરાબીના કારણે વીજળી બાધિત થઈ હતી, પરંતુ જલદી જ સુધારી લેવામાં આવી છે. સાથે જ સારી વીજળી વ્યવસ્થા માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાવી દેવામાં આવી છે જેથી આગળ આ પ્રકારની ફરિયાદ સામે નહીં આવે.

સદર હૉસ્પિટલની આ કોઇ પહેલી ઘટના નથી, અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી છે અને હૉસ્પિટલ પ્રશાસન દરેક વખત વ્યવસ્થા સારી કરવાનો દાવો કરીને ભૂલી જાય છે. વ્યવસ્થા જેમની તેમ બની રહે છે. સિવિલ સર્જન અંજની કુમારે ઘટનાની ગંભીરતાથી લેતા કહ્યું કે, જેની પણ બેદરકારી છે, તેની વિરુદ્ધ તપાસ કરવામાં આવશે. લાઇન કપાયા બાદ જનરેટર ચલાવવામાં ટાઇમ ગેપ હોય છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.