ઈલેક્શન કમિશનના આ નિર્ણયનો વિરોધ કેમ કરી રહ્યું છે વિપક્ષ

રિમોટ વોટિંગ મશીન પર વિપક્ષી પાર્ટીઓની બેઠક થયા બાદ રવિવારે (15 જાન્યુઆરી 2023ના રોજ) કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓએ સર્વસંમતીથી રિમોટ વોટિંગ મશીન પર ચૂંટણી પંચના પ્રસ્તાવનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. રિમોટ વોટિંગ મશીનના પ્રસ્તાવામાં ભારે રાજનૈતિક વિસંગતિઓ, પ્રવાસી મજૂરોની પરિભાષા સ્પષ્ટ નથી. ચૂંટણી પંચે 29 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે, તેણે ચૂંટણીમાં મતદાતાઓની ભાગીદારી વધારવા માટે ઘરેલુ પ્રવાસી વૉટરો માટે રિમોટ ઇલેક્ટ્રિક વોટિંગ મશીનનું એક શરૂઆતી મોડલ તૈયાર કર્યું છે.

ચૂંટણી પંચે 16 જાન્યુઆરીના રોજ રિમોટ વોટિંગ મશીન પર ચર્ચાને લઇને એક મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં ચૂંટણી પંચે બધી રાષ્ટ્રીય પાર્ટીઓના અધ્યક્ષો અને મહાસચિવોને બોલાવ્યા છે. રિમોટ EVMના પ્રદર્શન દરમિયાન ચૂંટણી પંચની ટેક્નિકલી વિશેષજ્ઞ સમિતિના સભ્ય પણ ઉપસ્થિત રહેશે. આ મીટિંગમાં બધી રાજનૈતિક પાર્ટીઓ સમક્ષ આ મશીનનું પ્રદર્શન કરવામાં આવશે. રિમોટ વોટિંગ મશીનનું ઉદ્દેશ્ય કોઇ પણ પોતાના વોટિંગ અધિકારથી વંચિત ન રાખવાનું છે.

જાણો શું છે રિમોટ વોટિંગ મશીન?

દેશના કોઇ પણ ખૂણામાં કે ભારતથી બહાર રહેતા દરેક મતદાતા પોતાના મતાધિકાર પ્રયોગ કરી શકે. તેને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જાણકારી આપી હતી. રિમોટ વોટિંગ મશીન, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું જ મોડિફાઇડ વર્ઝન છે. તેના દ્વારા ભારત બહાર રહેતા પ્રવાસીઓને પણ વોટ કરવામાં સરળતા થશે, પરંતુ કોંગ્રેસ તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહી છે. જો તેને લાગૂ કરવામાં આવે છે તો પ્રવાસી મતદાતાઓને પોતાના મતાધિકારનો પ્રયોગ કરવા માટે પોતાના ગૃહ જિલ્લાઓની યાત્રા કરવાની જરૂરિયાત નહીં રહે.

જો કે, કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ EVMને લઇને પણ સવાલ ઉઠાવતી રહી છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતીએ રવિવારે પોતાના જન્મદિવસના અવસર પર EVMને લઇને સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, આગામી સમયમાં ચૂંટણી બેલેટ પેપરથી કરાવવામાં આવે. બહુજન સમજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ મુખ્ય ચૂંટણી કમિશનરને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની પુરજોરથી માગ કરતા કહ્યું હતું કે, દેશમાં EVMને લઇને લોકોમાં જાત-જાતની આશંકાઓ છે અને તેને સમાપ્ત કરવા માટે સારું એ જ હશે કે હવે અહીં આગળ નાની-મોટી બધી ચૂંટણીઓ પહેલાંની જેમ બેલેટ પેપરથી જ કરાવવામાં આવે.

About The Author

Top News

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક ...
Gujarat 
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    
Copyright (c) Khabarchhe All Rights Reserved.