કર્ણાટક જીત પછી કોંગ્રેસ બતાવી રહી છે પાવર, વિપક્ષોની 12 જૂનની બેઠક રદ

પાટનામાં 12 જૂનના રોજ ભારતીય જનતા પાર્ટી (BJP) વિરોધી પાર્ટીઓની થનારી પહેલી વિપક્ષી એકતા મીટિંગ ટળી ગઈ છે. બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડ (JDU) નેતા નીતિશ કુમારે કહ્યું કે, 12 જૂનના રોજ મીટિંગ નહીં થાય કેમ કે, કેટલીક પાર્ટીઓના અધ્યક્ષ આવી શકતા નહોતા. આ વાત પર કેટલીક પાર્ટીઓનું કહેવું હતું કે, એ સારું નહીં હોય, એટલે બેઠકને અત્યારે ટાળી દીધી છે. જ્યારે બધી પાર્ટીઓના અધ્યક્ષ બેઠક માટે ઉપલબ્ધ હશે તો મીટિંગ થશે. નીતિશ કુમારે કહ્યું કે, તેમણે કોંગ્રેસને પણ એ કહી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કે રાહુલ ગાંધી 12 જૂનના રોજ થનારી મીટિંગ માટે ઉપલબ્ધ નહોતા એટલે કોંગ્રેસે બેઠકની તારીખ વધારવા કહ્યું હતું. કોંગ્રેસે કહ્યું હતું કે, જો 12 જૂનના રોજ મીટિંગ થશે તો તેમની તરફથી એક મુખ્યમંત્રી સહિત 2 નેતા જશે. પટનામાં સોમવારે પત્રકારો સાથે વાત કરતા નીતિશ કુમારે કહ્યું કે, 12 જૂનની મીટિંગ માટે મેક્સિમમ સમર્થન આવી ગયું હતું, પરંતુ એક-બે લોકો એ દિવસ નહોતા. તો અમે કોંગ્રેસને કહી દીધું કે તમે લોકો પણ વાત કરી લો. જોઈ લો. ત્યારબાદ જે તારીખ નક્કી થશે તેમાં થશે.

નીતિશ કુમારે એ સ્પષ્ટ કર્યું કે, બધી પાર્ટીઓના પ્રમુખોએ આવવાનું છે. પ્રમુખોના બદલે કોઈ પ્રતિનિધિ આવે એ સારું નથી. બીજી પાર્ટીઓના લોકો પણ કહેવા લાગ્યા કે કોંગ્રેસ તરફથી કોઈ બીજું આવશે, એ સારું નહીં રહે. પછી અમે કોંગ્રેસને બતાવી દીધું કે એવું નહીં થાય. બીજા દિવસે થશે. નવી તારીખ નક્કી થશે તો બધાને કહેવામાં આવશે.

નીતિશ કુમારની પહેલ પર અને તેમની મેજબાનીમાં થનારી વિપક્ષી પાર્ટીઓની આ મીટિંગમાં જનતા દળ યુનાઈટેડ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સિવાય પશ્ચિમ બંગાળાથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના અધ્યક્ષ મમતા બેનર્જી, ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટી (SP) અધ્યક્ષ અખિલેશ યાદવ, દિલ્હીથી આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રથી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અધ્યક્ષ શરદ પવાર, ઉદ્ધવ શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિત વામપંથી પાર્ટીના નેતાઓ આવવાના સમાચાર હતા. કોંગ્રેસ તરફથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે 12 જૂનના રોજ મીટિંગ થશે તો પટના નહીં જાય.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.