લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષી દળો, લગાવ્યો આ આરોપ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કોંગ્રેસના ઉચ્ચ સુત્રોના હવાલાથી આ જાણકારી મળી છે. રાહુલ ગાંધીનું સભ્ય પદ સમાપ્ત કરવાના અને સદનમાં પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યા બાદ લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ સોમવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. ગુજરાતની સુરતની એક કોર્ટ તરફથી 2019ના માનહાનિ મામલામાં દોષી જાહેર થવાના એક દિવસ બાદ શુક્રવારે રાહુલ ગાંધીને લોકસભામાંથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા. ચારવાર સાંસદ રહેલા રાહુલ ગાંધીને લોકસભામાંથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા. તેમને અયોગ્ય જાહેર કરાતા રાહુલ ગાંધી પરથી જ્યાં સુધી કોઈ હાઇકોર્ટ તેમની સજા પર પ્રતિબંધ ના લગાવે ત્યાં સુધી એટલે કે આઠ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકશે. આ મામલાને લઈને કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળો સતત સંસદમાં હંગામો કરી રહ્યા છે અને સંસદની બહાર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું સભ્ય પદ સમાપ્ત કરવાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસનો આરોપ છે કે, રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અદાણી મુદ્દા પર સંસદમાં તેમના હવે પછીના ભાષણથી ડરી ગઈ હતી. તેમજ, ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે, લોકસભા સચિવાલય તરફથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય નિયમ અનુસાર લેવામાં આવ્યો છે અને આ નિર્ણય પર સવાલ ઉઠાવવો સંવિધાનને નિશાનો બનાવવા સમાન છે.

આ ઉપરાંત, વિપક્ષી દળ બજેટ સત્રની શરૂઆતથી જ અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા મામલામાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC) નું ગઠન કરવાની માંગ કરી રહ્યા છે. થોડાં દિવસ અગાઉ કોંગ્રેસ સહિત દેશના 18 વિપક્ષી દળોએ બેઠક કરીને નિર્ણય લીધો હતો કે, તમામ પક્ષો લોકતંત્રને બચાવવા માટે આગળ પણ એકસાથે મળીને કામ કરતા રહેશે અને અદાણી મામલામાં JPCની માંગ ચાલુ રાખશે.

આ પહેલા રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના આવાસ પર એકસમાન વિચારધારાવાળા પક્ષોના વિપક્ષના નેતાઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં તૃણમૂલ સહિત બાકી પક્ષો તો સામેલ થયા પરંતુ, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ તેનો બહિષ્કાર કર્યો હતો. બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર હતા.

બેઠકમાં વિપક્ષી દળોએ મંગળવારે સંસદના બંને સદનોમાં વિપક્ષની રણનીતિ પર ચર્ચા કરી અને સ્ટ્રેટજી તૈયાર કરી અને જેપીસી અને રાહુલના અયોગ્યતા મામલામાં કેન્દ્રને ઘેરવાનો નિર્ણય કર્યો હતો. બેઠકમાં રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાના આદેશ બાબતે મળેલી ચિઠ્ઠી પર પણ ચર્ચા થઈ હતી. તેના પર તમામ સભ્યોનું કહેવુ હતું કે, આ આદેશ કોઈ મહત્ત્વ નથી ધરાવતો કારણ કે, હાલ કોંગ્રેસે રાહુલ ગાંધી મામલામાં કાયદાનો દરવાજો ખખડાવવાનો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.