અમારું ચૂંટણી ચિહ્ન ચોરાયું છે, ગલીએ-ગલીએ જઇને લોકોને જણાવો: ઉદ્ધવ ઠાકરે

ચૂંટણી પંચમાં શિવસેનાના નિયંત્રણ માટેની લડાઈ હારી ગયા બાદ ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી ખાતે તેમના ગ્રુપના નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ માતોશ્રીની બહાર એકત્ર થયેલા સમર્થકોને સંબોધતા ઉદ્ધવે તેમને સંદેશ આપ્યો કે અમારું ચૂંટણી ચિન્હ ચોરાઈ ગયું છે, એવું  લોકોને જણાવો. તેમણે શિંદે જૂથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ પોતાના ગ્રુપના નેતાઓ સાથે બેઠક કર્યા પછી માતોશ્રીના બહાર ઉભેલા સમર્થકોને સંબોધમ કરતી વખતે ભાવૂક અપીલ કરી હતી સાથે એકનાથ શિંદેને ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો. ઠાકરેએ કહ્યુ કે, મહાશિવરાત્રીના એક દિવસ પહેલા અમારા ચૂંટણી ચિહ્ન ધનુષ-બાણની ચોરી થઇ છે, તમે અમારા ધનુષ બાણ ચોરી લીધા છે.

ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે ગ્રુપનું નામ લીધા વિના પડકાર ફેંક્યો કે તેઓ તેની સાથે વધુ ચૂંટણી લડે. આ દરમિયાન તેમણે પોતાના નવા ચૂંટણી ચિન્હનો પણ સંકેત આપ્યો અને કહ્યું કે હવે તેઓ મસાલા લઈને આવશે. તમારા સમર્થનથી અમે તેમને હરાવીશું અને ફરીથી ભગવો ધ્વજ લહેરાવીશું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાના સમર્થકોમાં જોશ ભરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, આપણે ફરી એકવાર રાજ્યમાં આપણી શિવસેના ગ્રુપના મુખ્યમંત્રી બનાવવાના છે.

ઉદ્ધવ ઠાકરેએ સમર્થકો સાધે સીધો સંવાદ સ્થાપિત કરીને કહ્યુ હતું કે શું તમારામાં હિંમત છે? શું તમને મારા પર વિશ્વાસ છે? ઠાકરેએ ભાજપ અને PM મોદી પર  નિશાન સાધીને કહ્યું હતું કે, આજે તેમની હાલત એવી છે કે તેમણે બાલાસાહેબ ઠાકરેના નામનો સહારો લેવો પડે છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી એવું વિચારે છે કે શિવસેનાને સમાપ્ત કરી દઇશું, પરંતુ શિવસેના ક્યારેય સમાપ્ત થવાની નથી.

ઠાકરેએ કહ્યું કે, હું સરકારી અમલદારોને કહેવા માંગુ છું કે જનતા નિર્ણય લેશે કે શિવસેના કોની છે. જનતા મસાલને પણ હટાવી શકે છે. તેમણે સમર્થકોને કહ્યું હતું કે, ગલી-ગલી, ઘર –ઘર જઇને લોકોને કહો કે અમારું ચૂંટણી ચિહ્ન ચોરાઇ ગયું છે.

ઉદ્ધવ ઠાકરેના સંબોધન પહેલા એવા અહેવાલો પણ આવ્યા હતા કે તેમના નેતૃત્વ હેઠળનું ગ્રુપ ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.જ્યારે ઉદ્ધવ ઠાકરેએ સભા પછી સમર્થકોને સંબોધિત કર્યા ત્યારે તેમણે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે જૂથને ધનુષ્ય અને તીર સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો પડકાર ફેંક્યો.

ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાના સમર્થકોની સામે સ્પષ્ટ કર્યું કે હવે તેઓ મસાલથી લડશે. તેમણે સમર્થકોને નવા પ્રતીક સાથે ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનો સંદેશ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શિવસેનાના નામ અને ચિહ્ન પર એકનાથ શિંદેની આગેવાની હેઠળના ગ્રુપના દાવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે તેઓ આવતીકાલે એટલે કે 19 ફેબ્રુઆરીએ ફેસબુક લાઈવ કરશે. તેમણે કહ્યું કે જ્યારે પણ પ્રતીકને લઈને ઝઘડો થયો ત્યારે તે કોઈને આપવામાં આવ્યો ન હતો. તેમણે ભાવુક થઈને સમર્થકોને કહ્યું કે હું તમને કંઈ આપી શકું તેમ નથી. મારા હાથ ખાલી  છે.. તેમણે કાર્યકરોને ચૂંટણીની તૈયારીમાં લાગી જવા જણાવ્યું હતું.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.