મણિપુરમાં હિંસા વચ્ચે મ્યાનમારથી ઘુસણખોરી વધી હોવાના અહેવાલ, શસ્ત્રો પણ...

મણિપુરમાં હિંસાની ઘટનાઓની વચ્ચે હવે એક અન્ય મોટી ચિંતાએ રાજ્યની મુશ્કેલીમાં વધારો કર્યો છે. 22 અને 23 જુલાઈના રોજ મ્યાનમારથી 700 થી વધારે નાગરિકો મણિપુરમાં ઘૂસી આવ્યા. જેને લઇને મણિપુરની ભાજપા સરકાર દ્વારા આસામ રાઈફલ્સ પાસેથી જાણકારી માગવામાં આવી છે. સરકારનું આસામ રાઈફલ્સને એ કહેવું છે કે યોગ્ય દસ્તાવેજો વિના આ નાગરિકોએ રાજ્યમાં કઇ રીતે પ્રવેશ કર્યો અને કઇ રીતે તેમને આવવા માટે મંજૂરી મળી.

મણિપુર સરકારે આસામ રાઇફલ્સ પાસેથી એક વિસ્તૃત રિપોર્ટ માગી છે કે કઇ રીતે બે દિવસમાં 718 મ્યાનમાર નાગરિકોને યોગ્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ કરવાની પરવાનગી મળી? સરકારે ચંદેલ જિલ્લાના પોલીસ અધીક્ષકને આ મામલે જોવા અને મ્યાનમાર નાગરિકોના બાયોમેટ્રિક્સ અને તસવીરો સાથે રાખવાનો આદેશ આપ્યો છે.

મણિપુર સરકારનું આ નિવેદન અગત્યનું છે. કારણ કે આમાં આસામ રાઇફલ્સને પૂછવામાં આવ્યું છે કે કઇ રીતે તેમની દેખરેખમાં ઘાટી બહુસંખ્યક મેતૈઇ અને પહાડી બહુસંખ્યક કુકી જનજાતિની વચ્ચે બે મહિનાથી વધુ સમય સુધી ચાલેલી હિંસાને લીધે મણિપુરમાં માત્ર બે દિવસોમાં 700થી વધારે મ્યાનમાર નાગરિકોએ ભારતમાં પ્રવેશ કરી લીધો.

આ મામલા અંગે માહિતી રાખનારા લોકોએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ચિંતિત છે. કારણ કે એ જાણવાની કોઈ રીત નથી કે શું હથિયાર અને ગોળા-બારૂદ મ્યાનમારના નાગરિકોના નવા ગ્રુપની સાથે લાવવામાં આવ્યા હશે.

મણિપુર ગૃહ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, આસામ રાઈફલ્સના હેડક્વાટરે જણાવેલું કે ખમપતમાં ચાલી રહેલી હિંસાને કારણે 23 જુલાઈના રોજ 718 નવા શરણાર્થી ભારત-મ્યાનમાર સીમા પાર કરીને ચંદેલ જિલ્લાના માધ્યમથી મણિપુરમાં પ્રવેશ કરી ચૂક્યા છે.

સરકારે કહ્યું કે, રાજ્ય સરકાર 718 શરણાર્થીઓના આ ગેરકાયદાકીય પ્રવેશને અત્યંત સંવેદનશીલતાની સાથે ગંભીરતાથી લઇ રહ્યા છે. કારણ કે વિશેષ રૂપથી ચાલી રહેલા કાયદા અને વ્યવસ્થાના મુદ્દાઓને ધ્યાનમાં લેતા આનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ પડી શકે છે. મણિપુર સરકારે આ 718 મ્યાનમારના નાગરિકોને તરત પાછા મોકલવાની કડક સૂચના આસામ રાઈફલ્સને આપી છે.

મણિપુર ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં આવી રહ્યું છે. પણ તેને સંપૂર્ણ રીતે યોગ્ય થવા માટે હજુ ઘણો લાંબો સમય કાપવાનો છે. 3 મેથી શરૂ થયેલી હિંસામાં 150થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. અલગ અલગ સમુદાયોના જે પાડોશી એક સાથે રહેતા હતા તેઓ પણ અલગ થઇ ગયા છે. મણિપુરમાં પાછલા બે મહિનાથી ઈન્ટરનેટ સેવા બંધ હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.