'હિન્દુ ધર્મ ઇસ્લામથી જૂનો છે.' વાળા નિવેદન પર ઓવૈસીનો પલટવાર, જુઓ શું કહ્યું

જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના નેતા ગુલામ નબી આઝાદે હિન્દુ ધર્મને લઈને એવી વાત કહી જે હવે ઘણા નેતાઓ, ધર્મગુરુઓ અને ઇતિહાસકારોને તેના પર બોલવાનો અવસર મળી ગયો છે. તેમના 'હિન્દુ ધર્મ ઇસ્લામથી જૂનો છે.' વાળા નિવેદનને લઈને રાજકારણ ગરમ છે. એવામાં હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું પણ નિવેદન સામે આવી ગયું છે.

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ X (પહેલા ટ્વીટર) પર તેના પર પલટવાર કર્યો છે. તેમણે લખ્યું કે, ‘એ મારા માટે હંમેશાં મનોરંજક હોય છે, જ્યારે સંઘીઓએ એક વંશ ઘડવાનો હોય છે ત્યારે પણ તેમને મારા માટે એક બ્રાહ્મણ પૂર્વજ શોધવા પડે છે. આપણે બધાએ પોતાના કર્મોના ઉત્તર પોતે જ આપવા પડશે. આપણે બધા આદમ અને હવ્વાના સંતાન છીએ. જ્યાં સુધી મારી વાત છે, મુસ્લિમોના સમાન અધિકારો અને નાગરિકતા માટે લોકતાત્રિક સંઘર્ષ આધુનિક ભારતની આત્માની લડાઈ છે. તે 'હિન્દુફોબિયા' નથી.’

એક મહિલાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘ફારૂક અબ્દુલ્લાના પરદાદા બાલમુકુન્દ કૌલ એક બ્રાહ્મણ હતા. અસદુદ્દીન ઓવૈસીના પરદાદા તુલસીરામદાસ એક હિન્દુ બ્રાહ્મણ હતા. એમ જિન્નાના પિતા જિન્નાભાઈ ખોજા હિન્દુ ખોજા જાતિના હતા અને આ ત્રણેય આજે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે અને હિન્દુફોબિયા ઓકે છે.’

આ અગાઉ ગુલામ નબી આઝાદે દાવો કરતા કહ્યું હતું કે, ‘ભારતમાં કોઈ અંદર કે બહારથી નથી આવ્યું. ઇસ્લામ તો આવ્યો જ 1500 વર્ષ અગાઉ. હિન્દુ ધર્મ ખૂબ જૂનો છે. તો બહારથી આવ્યા હશે 10-20, જે મુઘલોની ફોજમાં હતા. બાકી તો ભારતમાં બધા મુસ્લિમ હિંદુમાંથી કન્વર્ટ થઈ ગયા. કાશ્મીરમાં કોણ હતું? 600 વર્ષ અગાઉ બધા કાશ્મીરી પંડિત હતા. બધા મુસ્લિમ બની ગયા. બધાનો જન્મ આ જ (હિન્દુ) ધર્મમાં થયો.

ગુલામ નબી આઝાદના નિવેદન પર જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP પ્રમુખ મહબૂબા મુફ્તીએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ થોડા વધુ પાછળ ગયા તો ક્યાંક તેમના પૂર્વજ વાંદરા ન નીકળી આવે. તેમણે કહ્યું હતું કે, મને ખબર નથી કે આઝાદ સાહેબ કેટલા પાછળ જતા રહ્યા છે અને એ પણ તેમણે પોતાના પૂર્વજો બાબતે કેટલી જાણકારી છે, પરંતુ હું તેમણે જરૂર એ સલાહ આપવા માગું છું કે જો તેઓ પાછળ જવા માગે છે તો પાછળ જતા રહે, બની શકે કોઈ વાંદરા તેમના પૂર્વજોમાં મળી જાય.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.