'હિન્દુ ધર્મ ઇસ્લામથી જૂનો છે.' વાળા નિવેદન પર ઓવૈસીનો પલટવાર, જુઓ શું કહ્યું

જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના નેતા ગુલામ નબી આઝાદે હિન્દુ ધર્મને લઈને એવી વાત કહી જે હવે ઘણા નેતાઓ, ધર્મગુરુઓ અને ઇતિહાસકારોને તેના પર બોલવાનો અવસર મળી ગયો છે. તેમના 'હિન્દુ ધર્મ ઇસ્લામથી જૂનો છે.' વાળા નિવેદનને લઈને રાજકારણ ગરમ છે. એવામાં હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું પણ નિવેદન સામે આવી ગયું છે.
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ X (પહેલા ટ્વીટર) પર તેના પર પલટવાર કર્યો છે. તેમણે લખ્યું કે, ‘એ મારા માટે હંમેશાં મનોરંજક હોય છે, જ્યારે સંઘીઓએ એક વંશ ઘડવાનો હોય છે ત્યારે પણ તેમને મારા માટે એક બ્રાહ્મણ પૂર્વજ શોધવા પડે છે. આપણે બધાએ પોતાના કર્મોના ઉત્તર પોતે જ આપવા પડશે. આપણે બધા આદમ અને હવ્વાના સંતાન છીએ. જ્યાં સુધી મારી વાત છે, મુસ્લિમોના સમાન અધિકારો અને નાગરિકતા માટે લોકતાત્રિક સંઘર્ષ આધુનિક ભારતની આત્માની લડાઈ છે. તે 'હિન્દુફોબિયા' નથી.’
It’s always amusing to me that even when they have to concoct a lineage, Sanghis have to find a Brahmin ancestor for me. We all have to answer for our own deeds. We are all children of Adam & Hawa AS. As for me, the democratic struggle for equal rights & citizenship of Muslims is… pic.twitter.com/b7KHhw40Iv
— Asaduddin Owaisi (@asadowaisi) August 20, 2023
એક મહિલાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘ફારૂક અબ્દુલ્લાના પરદાદા બાલમુકુન્દ કૌલ એક બ્રાહ્મણ હતા. અસદુદ્દીન ઓવૈસીના પરદાદા તુલસીરામદાસ એક હિન્દુ બ્રાહ્મણ હતા. એમ જિન્નાના પિતા જિન્નાભાઈ ખોજા હિન્દુ ખોજા જાતિના હતા અને આ ત્રણેય આજે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે અને હિન્દુફોબિયા ઓકે છે.’
આ અગાઉ ગુલામ નબી આઝાદે દાવો કરતા કહ્યું હતું કે, ‘ભારતમાં કોઈ અંદર કે બહારથી નથી આવ્યું. ઇસ્લામ તો આવ્યો જ 1500 વર્ષ અગાઉ. હિન્દુ ધર્મ ખૂબ જૂનો છે. તો બહારથી આવ્યા હશે 10-20, જે મુઘલોની ફોજમાં હતા. બાકી તો ભારતમાં બધા મુસ્લિમ હિંદુમાંથી કન્વર્ટ થઈ ગયા. કાશ્મીરમાં કોણ હતું? 600 વર્ષ અગાઉ બધા કાશ્મીરી પંડિત હતા. બધા મુસ્લિમ બની ગયા. બધાનો જન્મ આ જ (હિન્દુ) ધર્મમાં થયો.
ગુલામ નબી આઝાદના નિવેદન પર જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP પ્રમુખ મહબૂબા મુફ્તીએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ થોડા વધુ પાછળ ગયા તો ક્યાંક તેમના પૂર્વજ વાંદરા ન નીકળી આવે. તેમણે કહ્યું હતું કે, મને ખબર નથી કે આઝાદ સાહેબ કેટલા પાછળ જતા રહ્યા છે અને એ પણ તેમણે પોતાના પૂર્વજો બાબતે કેટલી જાણકારી છે, પરંતુ હું તેમણે જરૂર એ સલાહ આપવા માગું છું કે જો તેઓ પાછળ જવા માગે છે તો પાછળ જતા રહે, બની શકે કોઈ વાંદરા તેમના પૂર્વજોમાં મળી જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp