ચિદમ્બરમે જણાવ્યું-રાહુલની લોકસભાની સભ્યતા રદ્દ થઈ ગયા બાદ હવે કોંગ્રેસ શું કરશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સભ્યતા ગયા બાદ કોંગ્રેસે આખા દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. આ દરમિયાન કોંગ્રેસને તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને RJD સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે, પરંતુ લોકોના મનમાં હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે કોંગ્રેસની આગામી રણનીતિ શું હશે? અને કોંગ્રેસ આ મુદ્દાને કઇ રીતે દેશવ્યાપી બનાવશે? આ સવાલોને લઈને એક ન્યૂઝ ચેનલે કોંગ્રેસના સીનિયર લીડર પી. ચિદમ્બરમ સાથે વાત કરી હતી. તેમણે આ મુદ્દા પર કોંગ્રેસની આગળની રણનીતિ અને પ્રદર્શનો બાબતે જણાવ્યું. ચિદમ્બરમે કહ્યું કે, આ નિર્ણયથી કોંગ્રેસ પાર્ટી જરાય અચંબિત નથી.

અમને (કોંગ્રેસ) પહેલાથી જ અંદાજો હતો કે આ પ્રકારનો નિર્ણય આવી શકે છે. રાહુલ ગાંધીને મોકલવામાં આવેલી સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ પર તેમણે કહ્યું કે, તેમને પણ એ જ આશા હતી કે સરકારનું આગામી પગલું આ જ રહેવાનું છે. આ બધુ પ્લાનિંગ હેઠળ થયું છે. જો આ મુદ્દાને થોડા પહેલાથી જોવાનું શરૂ કરીશું તો ખબર પડશે કે બધુ પ્લાનિંગ હેઠળ થયું છે. તેમણે પોતાના જીવનમાં આ પકારનો કોઈ કેસ જોયો નથી, જેમાં દોષીને મહત્તમ સજા (2 વર્ષ) સંભળાવી હોય. ચિદમ્બરમે કહ્યું કે, તેમણે પોતે આ બાબતે તપાસ કરી. ઘણા જજો સાથે સાથે કાયદા સાથે જોડાયેલા લોકો સાથે પણ વાત કરી, પરંતુ તેના જાણકારોએ પણ આ પ્રકારના કેસમાં અત્યાર સુધી મહત્તમ સજાનો કેસ સાંભળ્યો નથી.

કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીની સભ્યતા જવા પર તેમણે કહ્યું કે, બધુ કાયદા મુજબ કરવામાં આવ્યું નથી. રાહુલ ગાંધી પોતાની જાતે અયોગ્ય થયા નથી. તેમને એક ઓથોરિટી (લોકસભા સચિવાલય)એ અયોગ્ય જાહેર કર્યા છે. રાહુલ ગાંધીની સભ્યતા ન તો રાષ્ટ્રપતિ અને ન તો ચૂંટણી પંચે રદ્દ કરી છે. તેમની અધ્યક્ષતા પર નિર્ણય લોકસભા અધ્યક્ષે પણ લીધો નથી. તેઓ આ નિર્ણય પાછળ અન્યાયની ગુંજાઈશ બાબતે વાત કરી રહ્યા છે. જ્યારે ચિદમ્બરંને પૂછવામાં આવ્યું કે, કોંગ્રેસ આગળ શું નિર્ણય લેશે? શું સુરત કોર્ટના નિર્ણયને જિલ્લા કોર્ટમાં પડકાર આપવામાં આવશે?

આ સવાલ પર તેમણે કહ્યું કે, જરૂર એમ જ થશે. જિલ્લા સિવાય હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટનો વિકલ્પ પણ બચ્યો છે. ચિદમ્બરમે આશા વ્યક્ત કરી કે તેમને ન્યાય જરૂર મળશે. ચિદંબરમને પૂછવામાં આવ્યું કે રાહુલની સભ્યતા જવા પર જનતામાં કોઈ ગુસ્સો નજરે પડી રહ્યો નથી. લોકો રસ્તા પર ઉતરતા દેખાઈ રહ્યા નથી. તો તેના પર ચિદમ્બરમે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી લોકો કોઈ મુદ્દાને લઈને રસ્તા પર ઉતર્યા નથી. જો CAA-NRC ની વાત કરીએ તો તેમની વિરુદ્ધ માત્ર મુસ્લિમ સમાજના લોકો જ રસ્તા પર ઉતર્યા હતા અને આ વાતથી તેઓ ચિંતિત પણ છે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.