કેમેરા સામે ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી સીમા હૈદર, બોલી- મારો સચિન ભોળો છે, તે..

પાકિસ્તાનથી ભાગીને ભારત આવેલી સીમા હૈદર ચર્ચાનું કેન્દ્ર બની છે. બધા તેની જૂની કહાની જાણવા માગે છે. તેના પર પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે. ATS સહિત અન્ય તપાસ એજન્સીઓ સીમા કેસની તપાસ કરી રહી છે. શનિવારે સીમા અને સચિનની તબિયત બગડી ગઈ હતી. રવિવારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સીમા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સીમા કેમેરા સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

સીમાએ કહ્યું કે, આજે મારા પતિ (સચિન)ની તબિયત સારી નથી, તો મને કંઈ પણ સારું લાગી રહ્યું નથી. તે બોલી, મેં તેને સવારથી જોયો નથી. મારું દિલ ફાટી રહ્યું છે. હું વધુ વાત નહીં કરી શકું. ખૂબ દુઃખ છે. અમે થાકી ગયા છીએ. ત્યારબાદ સીમાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તે રડવા લાગી. સીમાએ આગળ કહ્યું કે, ભલે કોઈ પણ નિર્ણય કરી લે. મારી સાથે અહીં સચિન બેઠો હોત તો હું પોતાને તાકતવાન સમજુ છું (સીમા જ્યારે ઇન્ટરવ્યૂ આપી રહી હતી ત્યારે તે એકલી હતી).

lતેણે કહ્યું કે, આજે તે મારી સાથે નથી. સચિનને એ દુઃખ છે કે તેના કારણે હું અને મારા બાળકો આમ તેમ ભાગતા રહીએ છીએ. ક્યારેક તેમનો ઠપકો, ક્યારેક તેમની વાત. મારો સચિન ભોળો છે. તે એટલું સહન નહીં કરી શકે. પરિણીત પાકિસ્તાની મહિલા સીમા હૈદરનો દાવો છે કે, પબ્જી ગેમ રમતી વખત તેને સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો. માર્ચમાં બંનેએ નેપાળમાં મુલાકાત કરી. ત્યાં બંનેએ લગ્ન પણ કર્યા. સીમાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂં સામે દયા અરજી પણ દાખલ કરી. સીમાએ ભારતીય નાગરિકતાની માગ કરી છે.

જો કે, સીમા પર પાકિસ્તાની એજન્ટ હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે. સીમાએ પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે. તેણે કહ્યું કે, જો તેને પાકિસ્તાન મોકલવામાં આવી તો ત્યાં તેના હાથ-પગ કાપી દેવામાં આવશે અને મારી નાખવામાં આવશે. એક સરવેમાં એમ પૂછમાં આવ્યું કે, શું સીમા હૈદરને પછી પાકિસ્તાન મોકલી દેવી જોઈએ? તેના પર 75 ટકા લોકોએ કહ્યું કે, હા તેને પાકિસ્તાન ડિપોર્ટ કરી દેવી જોઈએ. તો 25 ટકા લોકોએ કહ્યું કે, તેને પ્રેમી સાથે ભારતમાં જ રહેવા દેવામાં આવે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.