પાકિસ્તાની મીડિયાએ PMના વખાણ કર્યા, લખ્યું- તેમના નેતૃત્વમાં ભારત બ્રાન્ડ બન્યું

પાકિસ્તાન હાલના દિવસોમાં પોતાના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. પાકિસ્તાનની પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે કે, ત્યાં લોકો પાસે ખાવા પીવાનો સામાન પણ નથી મળી રહ્યો. દાળ, ચોખા, ઘઉંના લોટ માટે લોકો ત્યાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને રાહ જોઇ રહ્યા છે. આ ખરાબ સમય દરમિયાન હવે પાકિસ્તાનમાં ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની ચર્ચા ઝડપથી ચાલી રહી છે. પાકિસ્તાની અખબારે હવે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. આ અખબારે વડાપ્રધાન મોદીના વખાણ કરતા લખ્યું છે કે, તેમના નેતૃત્વમાં ભારત આજે એ સ્તર સુધી પહોંચી ગયું છે કે, જ્યાં આજે પ્રભાવ આખી દુનિયા પર જોવા મળી રહ્યો છે.

અખબારે લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ કુશળતાથી ચાલી રહી છે અને તેની GDP 3 ટ્રિલિયન ડોલરથી વધારે થઇ ગઇ છે. ડેલી અખબારની સાથે સાથે એક્સપ્રેસ ટ્રિબ્યુને પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વૈશ્વિક પરિદૃશ્યમાં ભારતના ઉભરતા કદ વિશે ચર્ચા કરી છે. ધ એક્સ્પેસ ટ્રિબ્યુનની એક કોલમમાં પાકિસ્તાનના પ્રસિદ્ધ રાજનૈતિક, સુરક્ષા અને રક્ષા વિશ્લેષક શહઝાદ ચૌધરીએ લખ્યું કે, ભારત હાલના સમયમાં રોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થાન બની ગયું છે. ભારતે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિદેશ નીતિના મોર્ચા પર પોતાનું ડોમેન બનાવી લીધું છે.

વિદેશ નીતિની સાથે સાથે ભારત ખેતી અને IT ઉદ્યોગમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચૌધરીએ પોતાની કોલમમાં લખ્યું છે કે, કૃષિ ક્ષેત્રમાં ભારત પ્રતિ એકરના હિસાબે પૈદાશ દુનિયામાં સૌથી સારી છે. આંકડાનો હવાલો આપતા શહઝાદ ચૌધરીએ લખ્યું કે, ભારતની શાસન પ્રણાલી સમયની કસૌટી પર ખરી ઉતરી છે. વડાપ્રધાન મોદીએ બ્રાન્ડ બનાવવા માટે એ કર્યું જે કોઇ ન કરી શક્યું.

આ પહેલા નવેમ્બરમાં, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પણ ભારતની વિદેશ નીતિની સરાહના કરતા તેને સ્વતંત્ર બનાવ્યું હતું. ઇમરાન ખાને એ સમયે કહ્યું હતું કે, ભારતને પાકિસ્તાનની સાથે આઝાદી મળી, પણ તેમની વિદેશ નીતિ સ્વતંત્ર બની છે કારણ કે, ભારત અમેરિકાના વિરોધ છતાં રશિયા પાસેથી તેલ ખરીદવાના પોતાના નિર્ણય પર કાયમ રહ્યું છે. ઇમરાને ભારતની વિદેશ નીતિની સરાહના કરતા કહ્યું કે, નવી દિલ્હી પોતાની મરજીથી રશિયા પાસે તેલ આયાત કરવામાં સક્ષમ હતી, જ્યારે, પાકિસ્તાન પશ્ચિમનું ગુલામ હતું. કારણ કે, તે પોતાના લોકોના કલ્યાણ માટે નિડર નિર્ણય લેવામાં અસમર્થ હતું.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.