ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રાણનાથ માનતી યુવતી છત્તરપુર પહોંચી,બાબા એકાંતવાસમાં ગયા

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના પ્રાણનાથ કહેતી અને તેમને મળવા 1 મહિના પહેલાથી પદયાત્રાએ  નિકળેલી MBBSની વિદ્યાર્થીની હવે જ્યારે બાગેશ્વર ધામની નજીક પહોંચી છે ત્યારે બાબા બાગેશ્વર 5 દિવસ માટે એકાંત વાસમાં ચાલ્યા ગયા છે.

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એકાંતવાસમાં ચાલ્યા ગયા છે. તેઓ આગામી 5 દિવસ સુધી એકાંતમાં રહીને સનાતન ધર્મ પર પુસ્તક લખશે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઇચ્છે છે કે તેમનું આ પુસ્તક દેશની બધી શાળાઓમાં પહોંચે, જેને કારણે બાળકોને સનાતન ધર્મ વિશે જાણકારી મળે. આ વચ્ચે કળશ લઇને પદયાત્રા કરીને બાબા બાગેશ્વરને મળવા છત્તરપુર પહોંચેલી MBBS સ્ટુડન્ટ શિવરંજની તિવારીએ કહ્યું કે ભલે તેઓ એકાંતવાસમાં જાય કે, પછી અજ્ઞાતવાસમાં જાય. મને બાલાજી સરકાર પર પુરો વિશ્વાસ છે, તેમના દર્શન તો થઇ ને જ રહેશે.

મધ્ય પ્રદેશના મંદસોર ના ખેજડિયામાં હનુમંત કથા મંચ પરથી બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, આગામી કેટલાંક દિવસો સુધી તેઓ એકાંતવાસમાં રહેવાના છે. આ દરમિયાન તેઓ પુસ્તર લખશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે તેમનું આ પુસ્તક શાળા અને કોલેજોમાં મફત વિતરણ કરવામાં આવશે. બાગેશ્વર બાબાએ કહ્યું હતું કે, ઘણી વખત લોકો મને સવાલ પુછે છે કે હિંદુ ધર્મ શું છે?  તાજેતરની ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’માં એક સવાલ પુછાયો હતો કે સનાતન ધર્મ શું છે? હવે આ બધા સવાલોના જવાબ આપવા માટે હું એક પુસ્તક લખી રહ્યો છું.

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના પ્રાણનાથ માનતી અને તેમને મળવાની ઇચ્છા વ્યકત કરનારી MBBS સ્ટુડન્ટ શિવરંજની તિવારી ગંગોત્રીથી કળશ યાત્રા લઇને બુધવારે યુપી થઇને છત્તરપુર પહોંચી હતી. સાંજે તે બાગેશ્વર ધામ તરફ આગળ વધી રહી હતી ત્યારે તેની તબિયત અચાનક બગડી હતી અને શિવરંજનીને કારની મદદથી છત્તરપુરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ દરમિયાન શિવરંજનીની સાથે ઉત્તરાખંડથી આવેલા આચાર્ય કમલદાસે કહ્યું કે, અમે ગરમીમાં લગભગ 30 કિલોમીટર ચાલ્યા હતા, એટલે શિવરંજનીની તબિયત બગડી છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે શરૂ કરેલી પદયાત્રાને 1 મહિનો થઇ ગયો છે. શિવરંજની તિવારી 1 મહિના પહેલા ઉત્તરાખંડના ગંગોત્રીથી ગંગા જળ લઇને પોતાની સાથે લગભગ પંદરેક લોકોને લઇને બાગેશ્વર ધામ જવા નિકળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવરંજની તિવારી 16 જૂને બાગેશ્વર ધામમાં ગંગા જળ ચઢાવીને પૂજા અર્ચના કરશે.

તો બીજા તરફ જગતગુરુ શંકરાચાર્યના મીડિયા પ્રભારી ડો, શેલેન્દ્ર યોગીરાજે ગુરુવારે બપોરે  2 વાગ્યે એક હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મેડિકલ સ્ટુડન્ટ શિવરંજનીનો જગતગુરુ શંકરાચાર્ય સાથે કોઇ સંબંધ નથી. એ માર્તણ્ડ તેલનો પ્રચાર કરી રહી છે. જે પોતાને બાગેશ્વરને પોતાના પ્રાણનાથ બતાવી રહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.