પંડિતજીએ વર-કન્યાના ઓનલાઈન લગ્ન કરાવ્યા, દક્ષિણા તરીકે 4 લાખથી વધુ મળ્યા

સિવનીમાં બેઠેલા એક પંડિતજીએ અમેરિકામાં હાજર વર-કન્યાના ઓનલાઈન લગ્ન કરાવ્યા. 21 મેના રોજ થયેલા આ લગ્નમાં વર-કન્યા અને કન્યા પક્ષના અને વરરાજા પક્ષના લોકો ઓનલાઈન જોડાયા હતા. આ દરમિયાન દંપતીએ પંડિતજી દ્વારા બતાવવામાં આવેલા તમામ સંસ્કાર અને વિધિઓ પુરી કરી હતી. ત્યારપછી પંડિતજીએ મંત્રોચ્ચાર કરી તેમને હિંદુ રીતિ રિવાજની સાથે સાત ફેરા પૂરા કરાવ્યા. લગ્નની વિધિ સોમવાર, મંગળવાર અને બુધવાર એમ ત્રણ દિવસ ચાલી હતી. ગુરુવારે આ લગ્ન સમારોહનો વીડિયો સામે આવ્યો છે. જ્યારે, આ લગ્ન સમારોહમાં કુલ 57 લોકોએ હાજરી આપી હતી.

હકીકત એમ છે કે, સિવનીના બારાપત્થર નિવાસી સુનિલ ઉપાધ્યાયનો પુત્ર દેવાંશ ઉપાધ્યાય અમેરિકામાં નોકરી કરે છે. વિદેશમાં હતા ત્યાં જ તેની મુલાકાત પુણેની રહેવાસી સુપ્રિયા સાથે થઈ અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ નોકરીમાં કામની વ્યસ્તતાને કારણે બંને ભારત આવી શકવામાં અસમર્થ હતા.

આ પછી દેવાંશે સિવનીમાં તેના પરિવારના સભ્યો સાથે વાત કરી. બાળકોની આવી સમસ્યાઓ જોઈને પરિવારના સભ્યો સિવનીના 67 વર્ષીય પંડિત રાજેન્દ્ર પાંડેને મળ્યા અને લગ્નની તારીખ નક્કી કરી. તેણે પંડિતજી સાથે ઓનલાઈન જોડાઈને લગ્ન કરાવવાની વાત કરી.

આ પછી ઉપાધ્યાય પરિવાર અમેરિકા પહોંચ્યો અને ત્યાં લગ્નની તૈયારીઓ થઈ. રીતિ રિવાજ મુજબ લગ્નની વિધિ કરાવવા માટે સિવનીમાં હાજર પંડિત રાજેન્દ્ર પાંડેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 21 મેના રોજ પંડિતજી ઓનલાઈન જોડાયા અને દેવાંશ અને સુપ્રિયાના લગ્ન કરાવ્યા હતા.

આ લગ્ન વિધિ પૂર્ણ કરવા માટે, પંડિતજીને દક્ષિણા તરીકે 5100 US ડૉલર મળ્યા. ભારતીય રૂપિયામાં તે અંદાજે 4 લાખ 20 હજાર છે.

પંડિતજી રાજેન્દ્ર પાંડેએ જણાવ્યું કે, અમેરિકામાં ઓનલાઈન લગ્ન કરવાનો આ તેમનો પહેલો અનુભવ હતો. લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. વર દેવાંશ સિવનીનો છે અને કન્યા પુણેની રહેવાસી છે. બંને અમેરિકામાં રહે છે. પંડિતજીએ કહ્યું કે, તેમણે કોરોના સમયગાળા દરમિયાન 4 યુગલોના ઓનલાઈન લગ્ન કરાવ્યા છે. તેમણે કેનેડા અને અમેરિકામાં રહેતા ભારતના 3 પરિવારો માટે સત્યનારાયણ ભગવાન કથા પણ ઓનલાઈન કરાવી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.