ઉદયનિધિનું માથું કલમ કરનારને મળશે 10 કરોડનું ઈનામ અયોધ્યાના સંતની જાહેરાત

તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર અને DMK સરકારમાં યુવા કલ્યાણ મંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મના નાશ’વાળા નિવેદન પર વિવાદ વધતો જઈ રહ્યો છે. સોમવારે અયોધ્યામાં તપસ્વી છાવણીના મહંત પરમહંસ આચાર્યએ તલવારની અણીએ ઉદયનિધિ સ્ટાલિનનું પોસ્ટર ફાડી સળગાવ્યું હતું. તેમણે પ્રતિકાત્મક રૂપે ઉદયનિધિ સ્ટાલિનનું માથું કલમ કર્યું. સાથે જ જાહેરાત પણ કરી કે, જે ઉદયનિધિ સ્ટાલિનનું માથું કલમ કરીને લાવશે, તેને ઈનામમાં 10 કરોડ રૂપિયા આપવામાં આવશે.

મહંત પરમહંસ આચાર્યએ કહ્યું કે, લાખો વર્ષોથી સનાતન ધર્મ છે. આ ધર્મનો ન કોઈ આદિ છે, ન અંત. સનાતનને કોઈ મટાડી નહીં શકે. જો તેને કોઈએ મટાડવાનો પ્રયાસ કર્યો તો પોતાની જાતે જ મટી જશે. પરમહંસ આચાર્યએ કહ્યું કે, ઉદયનિધિ સ્ટાલિનના માથા પર 10 કરોડનું ઈનામ રાખ્યું છે, જે પણ તેનું માથું કલમ કરીને લાવશે. તેને આ ઈનામ આપવામાં આવશે. જો કોઈ તેનું માથું ન લાવી શક્યું તો હું તેનું માથું કલમ કરીશ. મેં તલવાર પકડી લીધી છે. હું પોતે તામિલનાડુ જવાનો છું અને તેનું માથું કલમ કરીશ.

ઉદયનિધિના સનાતન ધર્મ પર આપેલા નિવેદન પર હિન્દુવાદી નેતાઓએ રિકબગંજ હનુમાનગઢી નજીક વિરોધ પ્રદર્શન કર્યું. નેતાઓએ સ્ટાલિનની ધરપકડ કરવાની માગ પણ કરી છે. મહંત પરમહંસે કહ્યું કે, જો ઉદયનિધિ સ્ટાલિને કોઈ અન્ય ધર્મ બાબતે એવી વાત બોલી હોત તો તેનાઆ ચીથરા ઊડી જતા. તેઓ જાણે છે કે સનાતન ધર્મ માનવતાવાદી, અહિંસાવાદી છે, પરંતુ અમે રાક્ષસોનું વધ કરતા પાછળ હટતા નથી. ઉદયનિધિ રક્ષણ બની ચૂક્યા છે.

આ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ઉદયનિધિના નિવેદન પર પ્રહાર કરી ચૂક્યા છે. રાજસ્થાનના સિકરમાં કથા દરમિયાન બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, કાલે કોઈ કહી રહ્યું હતું કે સનાતન ધર્મનો નાશ કરી દેવો જોઈએ. એમ વિચારનારને હું કહું છું કે, ભારતમાં રહેવું હશે તો રામ નામ બોલવું પડશે. જે પણ વ્યક્તિ સનાતનનો વિરોધ કરશે, તેની ઠઠરી અને ગાંસડી બંને બાંધવાનું કામ તે કરશે. હું કોઈને ધમકી નહીં, પરંતુ ડિક્લેમર આપી રહ્યો છું. જો કોઈને ભગવાન પર શંકા છે તો તે મેદાનમાં આવી જાય. હું તેની બધી શંકા ક્લિયર કરી દઇશ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.