શું BJPના યુવા MP તેજસ્વી સૂર્યાએ ઇન્ડિગોની ફ્લાઇટનો દરવાજો ખોલી નાંખ્યો હતો?

ચેન્નાઇના તિરુચિરાપલ્લી વચ્ચે IndiGoની ફ્લાઇટમાં એક મુસાફરે  10 ડિસેમ્બરના રોજ ઇમરજન્સી એક્ઝિટ ખોલ્યો હતો. નાગરિક ઉદ્દયન મંત્રાલયે (DGCA)એ મંગળવારે સત્તાવાર રૂપે આ બાબતે જાણકારી આપી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે ઘટના પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને તપાસ માટે આદેશ આપવામાં આવ્યા. DGCAએ પહેલા જાણકારી આપી હતી કે ફ્લાઇટ ત્રિવેન્દ્રમ જઇ રહી હતી, પરંતુ ત્યારબાદ સ્પષ્ટીકરણ જાહેર કરીને કહેવામાં આવ્યું કે આ ફ્લાઇટ તિરુચિરાપલ્લી માટે હતી.

એર ઇન્ડિયાની બે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પેશાબ કરવાની બે કથિત ઘટનાઓ બાદ મુસાફરો દ્વારા દુર્વ્યવહારની ઘટનાઓ સામે આવેલી આ સૌથી નવી છે. તેમાં મુસાફરે IndiGoની ઉડાણ 6E 7339નો ઇમરજન્સી દ્વાર ખોલી દેવામાં આવ્યો હતો, જેમાં અન્ય લોકો પણ સવાર હતા. અત્યાર સુધી મુસાફરની ઓળખ કરવામાં આવી નથી. જો કે, ફ્લાઇટના આ સમય સુધી ઉદાણ ન ભરવાનું કારણે કોઇ અપ્રિય ઘટના ન થઇ.

બીજી તરફ હવે આ ઘટનામાં વિમાનન કંપની IndiGoએ પણ પોતાનો પક્ષ રાખ્યો છે. તેના જણાવ્યા મુજબ 10 ડિસેમ્બરે ચેન્નાઇથી તિરુચિરાપલ્લી જનારી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે બોર્ડિંગ પ્રક્રિયા દરમિયાન ભૂલથી એક્ઝિટ ખોલી દીધો હતો. મુસાફરે આ ભૂલ માટે માફી માગી છે. આ ઘટના બાદ SOP મુજબ, વિમાન અનિવાર્ય એન્જિનિયરિંગ તપાસ પ્રક્રિયામાંથી પસાર થયો, જેના કારણે ઉડાન ભરવામાં મોડું થયું.

IndiGo ફ્લાઇટ સાથે આ પ્રકારની કોઇ પહેલી ઘટના નથી.IndiGoની દિલ્હી-પટના ફ્લાઇટ દરમિયાન 3 લોકો દારૂ પીવાની ઘટના સામે આવી હતી. ક્રૂ મેમ્બર્સે જ્યારે લોકોને દારૂ પીવાની ના પાડી તો તેમણે દુર્વ્યવહાર શરૂ કરી દીધો. 80 મિનિટની આ ફ્લાઇટ દરમિયાન આ લોકોએ ખૂબ હોબાળો કર્યો, વિમાને જ્યારે પટના એરપોર્ટ પર લેન્ડિંગ કર્યો તો આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી. IndiGoએ આ ઘટનાની જાણકારી DGCAને આપી હતી.

તો આ મહિનાની શરૂઆતમાં જ લેન્ડિંગ દરમિયાન IndiGoનો પાછલો હિસ્સો ટકરાઇ ગયો હતો. આ ઘટના IndiGoની ફ્લાઇટ નંબર 6E 1859 એરબસ A-321 સાથે થઇ હતી. આ ફ્લાઇટ ઢાકાથી કોલકાતા આવી રહી હતી. થોડા સમય પહેલા જ IndiGoના એરબસ A320 નિયો વિમાનના એક એન્જિનના ઉડાન દરમિયાન તેજ ધમાકા સાથે ફેલ થઇ જવાની એક ઘટનાને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગંભીરતાથી લીધી હતી.

શું તેજસ્વી સૂર્યા હતા તે મુસાફર 

આ અંગે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે ભાજપની યુવા પાંખના રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સૂર્યા એ તે દરવાજો ખોલી નાંખ્યો હતો તેમની પાસેથી એરલાઇન્સે માફીનામું પણ લખાવ્યું હતું. જોકે, કે એક બીજી વાત એવી પણ આવી હતી કે તેજસ્વી સૂર્યાથી ભૂલથી દરવાજાનું હેન્ડલ નીચું થઇ ગયું હતું. ત્યારબાદ તેમણે સ્ટાફનું ધ્યાન દોર્યું હતું. જોકે, પ્રોટોકોલ મુજબ તમામ પ્રકારની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. 

About The Author

Top News

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

PM મોદી જોશે નંદમુરી બાલાકૃષ્ણની ‘અખંડા 2’, જાણો શું છે આ ફિલ્મમાં ખાસ

દક્ષિણ ભારતીય ફિલ્મોના મોટા સ્ટાર નંદમુરી બાલકૃષ્ણની ફિલ્મ ‘અખંડા 2’ કાયદાકીય દાવપેંચમાં ફસાયા બાદ રીલિઝ કરી દેવામાં આવી છે....
Entertainment 
PM મોદી જોશે નંદમુરી બાલાકૃષ્ણની ‘અખંડા 2’, જાણો શું છે આ ફિલ્મમાં ખાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.