મહિલા ઓફિસરે કહ્યું- IAS પવન અરોરા સેક્સ રેકેટ ચલાવે છે, IASએ આપ્યો જવાબ

કમિશનર પૂજા મીણાએ રાજસ્થાનના પ્રખ્યાત IAS ઓફિસર પવન અરોરા પર ગંભીર આરોપ લગાવ્યા છે. પૂજા મીણાનો આરોપ છે કે અરોરા સેક્સ રેકેટ ચલાવે છે અને તેમને હેરાન પણ કરે છે. આ ગંભીર આરોપોથી રાજસ્થાનની સમગ્ર નોકરશાહી હચમચી ઉઠી છે. પૂજા મીણાએ શહેરી સ્થાનિક સંસ્થાઓના મંત્રી શાંતિ ધારીવાલ પર પણ IAS અધિકારી પવન અરોરાને સુરક્ષા આપવાનો આરોપ લગાવ્યો છે. જોકે, IAS અરોરાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

પૂજા મીણા રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે RAS ઓફિસર છે. તેઓ ઝાલાવાડ જિલ્લાના મ્યુનિસિપલ કાઉન્સિલ કમિશનર હતા. તેમની ત્યાંથી બદલી કરવામાં આવી છે. હાલમાં તેઓ પોસ્ટિંગ ઓર્ડર (APO)ની રાહ જોઈ રહ્યા છે, એટલે કે નવા પોસ્ટિંગ ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. જ્યારે, પવન અરોરા શહેરી સ્થાનિક સંસ્થાઓ વિભાગ (DLB) ના ડિરેક્ટર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ રાજસ્થાન હાઉસિંગ બોર્ડના કમિશનર છે.

હકીકતમાં, 9 જાન્યુઆરીએ, પૂજા મીણાને ઝાલાવાડ મ્યુનિસિપલ કાઉન્સિલના કમિશનર પદ પરથી નાગૌર મ્યુનિસિપલ કાઉન્સિલમાં કમિશનર પદ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પછી તે જ દિવસે, ઓર્ડરમાં સુધારો કર્યા પછી, તેમને નવી પોસ્ટિંગ માટેના ઓર્ડરની રાહ જોઈને ડિરેક્ટોરેટમાં મોકલવામાં આવ્યા. પૂજા મીણાએ એક જ દિવસમાં બે ટ્રાન્સફર ઓર્ડર બહાર પાડ્યા બાદ આ આક્ષેપો કર્યા છે. જો કે, 10 જાન્યુઆરીના રોજ, અન્ય નવા ટ્રાન્સફર ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને તેમને જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પૂજા મીણાએ કહ્યું, 'IAS પવન અરોરા ખૂબ જ ગંદા માણસ છે. તે રાજસ્થાન સરકારનો સૌથી કુટિલ માણસ છે. પવન અરોરા મને હેરાન કરે છે. જ્યારે તેઓ DLB વિભાગમાં હતા, ત્યારથી તેમણે મહિલાઓનું એક જૂથ બનાવ્યું હતું અને વિભાગમાં સેક્સ રેકેટ ચલાવ્યું હતું.'

પૂજા મીણાની 16 દિવસ પહેલા ઝાલાવાડ મ્યુનિસિપલ કાઉન્સિલના કમિશનર પદ પર નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ 9 જાન્યુઆરી, 2023ના રોજ અચાનક બે બદલીઓ બાદ પૂજા મીણાએ વર્તમાન DLB ડિરેક્ટર હૃદયેશ શર્મા પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. હકીકતમાં, હૃદેશ શર્માએ જ પૂજા મીણાના ટ્રાન્સફરનો ઓર્ડર નીકળ્યો હતો. પૂજા મીણાએ રાજસ્થાન સરકારના UDH મંત્રી અને CM અશોક ગેહલોતના નજીકના શાંતિ ધારીવાલ માટે કહ્યું હતું કે, તેઓ પવન અરોરાને સુરક્ષા આપે છે.

પવન અરોરા, હૃદેશ કુમાર શર્મા અને મંત્રી શાંતિ ધારીવાલ પર ગંભીર આરોપોની માહિતી મળ્યા બાદ સમગ્ર વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કમિશનર પૂજા મીણાની 10 જાન્યુઆરીએ ફરીથી બદલી કરવામાં આવી હતી અને જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન હેરિટેજમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. તે રાજધાની જયપુરમાં મુખ્ય પોસ્ટિંગ સ્થળ માનવામાં આવે છે.

સૂત્રોએ પૂજા મીણાના આરોપો પર રાજસ્થાન હાઉસિંગ બોર્ડના કમિશનર પવન અરોરા સાથે વાત કરી હતી. અરોરાએ કહ્યું, 'આ મહિલાને DLBથી નાગૌરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં, ત્યારબાદ APO કરવામાં આવ્યું હતું. આ વિભાગીય મુદ્દો છે. આની વચ્ચે હું ક્યાં આવ્યો? તેમના આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે. જ્યારે હું DLBમાં પોસ્ટેડ હતો ત્યારે આ મહિલા એક-બે વખત મારી ચેમ્બરમાં કાગળો લઈને આવ્યા હતાં. તે સિવાય, ન તો હું તેમને ઓળખું છું, ન તો મેં તેમને ક્યારેય ફોન કર્યો છે, ન તો મેં ક્યારેય એક પણ મેસેજ કર્યો છે. હવે તેમના મનમાં એક વહેમ છે કે હું પોસ્ટિંગ બદલાવી દઉં છું, તો હું આનો શું જવાબ આપું? આ તદ્દન ખોટી અને પાયાવિહોણી વાત છે. તમે જબરદસ્તી કોઈને કહો છો કે તમે મારી પોસ્ટિંગ કરાવી રહ્યા છો. તાજેતરમાં તેમને ટોંકમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી.'

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.