BJP ધારાસભ્યની માગ- મસ્જિદો અને દરગાહોમાં મોરના પીંછા, ત્યાં પણ રેડ કરો

કર્ણાટક ભાજપા નેતા અને ધારાસભ્ય અરવિંદ બેલાડે ધાર્મિક ઉદ્દેશો માટે મોરના પીંછાનો ઉપયોગનો હવાલો આપતા બધી મસ્જિદો અને દરગાહો પર રેડ કરવાની માગ કરી છે. બેલાડની આ ટિપ્પણી વન વિભાગની નોટિસ અને ભાજપાના રાજ્યસભા સાંસદ અને અભિનેતા જગ્ગેશના ઘરની તપાસ પછી આવી છે. એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન જગ્ગેશને વાઘના પંજાવાળું પેન્ડેંટ પહેરલ જોયા પછી આ તપાસ કરવામાં આવી છે.

ભાજપા નેતા બેલાડે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર પણ કટાક્ષ કર્યો. કારણ કે, તેમણે જગ્ગેશના ઘરે છાપેમારી કરવા માટે સ્પષ્ટીકરણ માગ્યું હતું, પણ મસ્જિદો અને દરગાહો પર નહીં. બેલાડે પૂછ્યું કે, વાઘના નખ ઐતિહાસિક રીતે સારા કંપન માટે વાપરવામાં આવે છે. હું સિદ્ધારમૈયાને પૂછવા માગું છું કે જો રાજ્યસભા સાંસદ જગ્ગેશ સામે ફરિયાદ દાખલ કરાવી શકાય છે તો તે દરગાહો અને મસ્જિદોમાં વપરાતા મોરના પીંછાને લઇ ચુપ શા માટે છે?

તેમણે કહ્યું કે, સિદ્ધારમૈયા ત્યાં જાય છે અને મોરના પીંછાથી આશીર્વાદ લે છે. શું તે નથી જોઇ શકતા કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ એક ગુનો છે અને કાયદા વિરોધી છે. ભાજપા ધારાસભ્યએ સિદ્ધારમૈયાને દરેક મસ્જિદ અને દરગાહો પર રેડ કરવા અને તેમની સામે ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ કર્યો છે.

જણાવીએ કે, વાઘના પંજાને લઇ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કન્નડ બિગ બોસના પ્રતિસ્પર્ધી વર્થુર સંતોષને વાઘના પંજાનું લોકેટ રાખવાના આરોપમાં શોના સેટ પરથી અરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો. વાઘના નખ રાખવા કાયદાકીય ગુનો છે. તેનું વેચાણ કે ખરીદી પણ કાયદાકીય ગુનો છે.

વન વિભાગના અધિકારી 22 ઓક્ટોબરના રોજ શોના સેટ પર પહોંચ્યા અને વાઘના પંજાનાં લોકેટની તપાસ કરી. મૂલ્યાંકન કરવા પર એ તારણ નીકળ્યું કે વાઘના પંજા અસલી હતા અને વર્થુર સંતોષની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ બધાની વચ્ચે અભિનેતા અને ભાજપા સાંસદ જગ્ગેશે પોતાના ઘરે થયેલી રેડ પછી કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી વન અધિકારીઓની કાર્ય પદ્ધતિ પર સવાલ ઊભા કર્યા છે.

જો જાણ હોય તો, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ વાઘ, સિંહ, હરણ જેવા જંગલી પશુઓને મારવા અને તેમના પંજા, ચામડી, સીંગ કે નખ વગેરે વેચવા એક ગુનો છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.