બાબા બાગેશ્વર જેવા લોકોએ જેલમાં રહેવું જોઇએ: નેતા જગદાનંદ સિંહ

મધ્ય પ્રદેશના બાગેશ્વ ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી 5 દિવસની કથા માટે બિહારના પટનામાં આવી રહ્યા છે તેમનો અત્યારથી વિરોધ શરૂ થઇ ગયો છે. બિહાર સરકારના મંત્રી અને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે થોડા દિવસ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધની વાત કહી હતી. હવે RJDના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, જેઓ ચિઠ્ઠી ખોલ્યા વગર પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરવાનો દાવો કરે છે, તે કથા સંભળાવવા બિહાર આવી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી 13 મેથી 17 મે સુધી બિહારના પ્રવાસે છે. આ દરમિયાન બિહાર સરકારના પર્યાવરણ મંત્રી અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેજ પ્રતાપ યાદવે કહ્યું હતું  કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી બિહારમાં એકતાની વાત કરશે તો તેમનું સ્વાગત કરવામાં આવશે અને જો તેઓ અહીં આવીને હિંદુ-મુસ્લિમ વાત કરશે તો તેમની ખેર નહીં હોય એ વાત શાસ્ત્રી સારી રીતે સાંભળી લે.

હવે RJD ચીફ જગદાનંદ સિંહે પણ કહ્યું છે કે, બાગેશ્વર જેવા લોકોએ જેલમાં રહેવું જોઇએ. પરંતુ અફસોસની વાત છે કે તેઓ બહાર છે. સિંહે કહ્યું કે આજકાલ તો જેને પણ મન થાય તે બાબા બની જાય છે. તેમણે સાથે સાથે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ હતું કે આ બધા ઉન્માદ ભાજપે જ વધાર્યો છે, સંત પરંપરાને ખરાબ કરવામાં આવી રહી છે. આવા બાબાઓની એક જમાત ઉભી કરવામાં આવી રહી છે.

તેજ પ્રતાપના નિવેદન સામે ભાજપના ધારાસભ્ય નીરજ બબલૂએ  કટાક્ષમાં જવાબ આપતા કહ્યું હતું કે, તેજ પ્રતાપ ધાર્મિક માણસ છે. કોઇક વાર તેઓ ભોલેનાથ બની જાય છે તો કોઇક વાર રાધા-કૃષ્ણના મંદિરમાં પહોંચીને રાધે રાધે કરવા માંડે છે. નીરજ બબલૂએ કહ્યું કે, મને નથી લાગતું કે તેમણે આવા પ્રકારનું નિવેદન આપવું જોઇએ. ધીરેન્દ્ર શાસ્ત્રી પટના આવશે તો લોકો સ્વયંભૂ લાખોની સંખ્યામાં કથા સાંભળવા આવશે અને જે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને રોકવાની વાત કરી રહ્યા છે તે હવામાં ઉડી જશે.

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદીત નિવેદનો આપવા માટે હંમેશા ચર્ચામાં રહે છે. ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવાની વાત હોય કે સાંઇ બાબા ભગવાન નથી એવા નિવેદનો ધીરેન્દ્ર શાસ્ત્રી આપતા રહે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.