રાહુલના સમર્થનમાં પોસ્ટર અભિયાન, ‘મેરા ઘર રાહુલ ગાંધી કા ઘર’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમનું સભ્યપદ છીનવી લેવાયા બાદ તેમના સરકારી બંગલાને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. હવે દેશના ઘણા ભાગોમાં લોકો રાહુલ ગાંધીના સમર્થનમાં પોસ્ટર લગાવી રહ્યા છે, તેઓએ પોસ્ટરો પર લખ્યું  છે કે ‘મેરા ઘર રાહુલ કા ઘર’.  ઘણા નેતાઓ અને સામાન્ય લોકો ઘરે ઘરે પોસ્ટર લગાવીને રાહુલનું સમર્થન કરી રહ્યા છે.

ટ્વીટર પર પણ મેરા ઘર રાહુલ ગાંધી કા ઘર નામથી ટ્રેડ થઇ રહ્યું છે. અનેક લોકો પોતાના ઘર પર આવા પોસ્ટરો લગાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ એક પત્રમાં કહ્યુ હતું કે તેઓ પોતે જ નિયમ મુજબ સરકારી બંગલો ખાલી કરી દેશે. લોકો આ પોસ્ટરોના માધ્યમથી કહી રહ્યા છે કે, રાહુલ ગાંધીએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો એટલે તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ છીનવી લેવાયું છે. લોકો એવો  આરોપ લગાવી રહ્યા છે  કે,PM મોદી બદલાંની ભાવનાથી કામ કરી રહ્યા છે, જ્યારે રાહુલ ગાંધી લોકોના દીલમાં વસેલા છે. રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો એટલે તેમની સામે પગલાં લેવાયા છે.

બનારસમાં કોગ્રેસના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અજય રાયે પોતાના ઘર પોસ્ટર લગાવ્યું છે. તેમણે કહ્યુ કે, જે રીતે લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે, પહેલા રાહુલ ગાંધીની લોકસભાનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું અને હવે સરકારી બંગલો ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ગાંધી પરિવારે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. પ્રયાગરાજમાં આનંદ ભવનને સરકારને દાનમાં આપી દેવામાં આવ્યું છે. આજે એવા પરિવારમાંથી આવતા રાહુલ ગાંધી પાસે સરકારી બંગલો ખાલી કરાવાય રહ્યો છે.

રાહુલ ગાંધીની મુસીબતની શરૂઆત 23 માર્ચથી શરૂ થઇ હતી, જ્યારે સુરતની કોર્ટે એક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા કરી હતી. એના બીજા જ દિવસે લોકસભામાં તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા.

રાહુલનું સભ્ય પદ રદ થયા પછી કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઇ છે અને છેલ્લાં 6 દિવસથી સતત લડત આપી રહી છે. રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી પણ ભાજપ સામે સતત પ્રહાર કરી રહ્યા છે. હવે કોંગ્રેસના નેતાઓ અને સામાન્ય લોકો પણ રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા છે અને ઘરે ઘરે પોસ્ટર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.