ઇજાગ્રસ્તોને બચાવવા સામે આવ્યા ‘રક્ત દાનવીર’, 3000 બ્લડ યુનિટ ભાગું થયું

ઓરિસ્સાના બાલાસોરમાં ભીષણ ટ્રેન અકસ્માતને જેણે પણ જોયો, તે દાંતો નીચે આંગળી દબાવી બેઠું. ઘટનાસ્થળ પર પહોંચેલા એક અધિકારીએ તો અહી સુધી કહી દીધું છે કે તેમણે પોતાના જીવનમાં એક સાથે આટલા શબ ક્યારેય નથી જોયા. બીજી તરફ ઇજાગ્રસ્તોની મદદ માટે હજારો લોકો સામે આવી ગયા છે. રિપોર્ટ્સ મુજબ બાલાસોર અકસ્માત બાદ યુદ્ધ સ્તર પર રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ઇજાગ્રસ્તોને આસપાસના જિલ્લાઓમાં સ્થિત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

એવામાં ઇજાગ્રસ્તોની મદદ માટે હજારોની ભીડ ઉમટી પડી હતી. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ મુજબ, અકસ્માતના થોડા જ કલાકોની અંદર 3 હજારથી વધુ બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવ્યું છે. કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટર જયંત પાંડાએ જણાવ્યું કે, લોકો રક્તદાન માટે મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે. કાલે રાત્રે બાલાસોર ભદ્રક અને કટકમાં 3 હજાર યુનિટ રક્તદાન કરવામાં આવી ચૂક્યું છે, પરંતુ દુર્ઘટનામાં મરનારા લોકોની સંખ્યા વધી રહી છે, અમારી તરફથી ઇજાગ્રસ્તોને બચાવવાનો દરેક સંભવિત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ઓરિસાના બાલાસોર જિલ્લાની હોસ્પિટલોથી સામે આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રેન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને પોતાનું લોહી આપવા સેકડો સ્થાનિક યુવાનો લાઇનમાં ઊભા છે. પોત પોતાના વાહનોથી પહોંચીને ભીષણ ગરમીમાં રક્તદાન કરવા માટે રાહ જોઈ રહ્યા છે. એક સ્થાનિક રહેવાસી ગણેશે મીડિયાને જણાવ્યું કે, જ્યારે આ દુર્ઘટના થઈ, ત્યારે તે પાસે જ હતો. તેણે કેટલાક અન્ય લોકોને ભેગા કર્યા. ત્યારબાદ રાહત કાર્ય શરૂ કર્યું. અમે લગભગ 200-300 લોકોને બચાવ્યા.

તો ભારતીય સેનાના કર્નલ એસ.કે. દત્તાએ કહ્યું કે, કાલે રાતથી બચાવ અભિયાન ચાલી રહ્યું છે અને સેનાના અન્ય જવાન કોલકાતાથી બોલાવવામાં આવ્યા છે. એ સિવાય ઘટનાસ્થળ પર રાહે કાર્યમાં ઓરિસ્સા ફાયર સર્વિસના જવાન પણ લાગ્યા છે. ફાયર સર્વિસના મહાનિર્દેશક સુધાંશુ સારંગીએ કહ્યું કે, એક ક્રેન આવી ગઈ છે. અમે એક એક કરીને (કોચો) ઉપર ખેચી લઈશું, પરંતુ અમને તેની નીચે કોઈના લોકોની બચવાની આશા નથી. મેં પોતાના જીવનમાં આટલા શબ એક સાથે ક્યારેય જોયા નથી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરતા કહ્યું કે, ડૉક્ટરોની બે ટીમો AIIMS ભુવનેશ્વરથી દુર્ઘટનાસ્થળ બાલસોર અને કટક માટે મોકલવામાં આવી છે. અમે લોકોનું અણમોલ જીવન બચાવવા માટે બધી જરૂરી સહાયતા અને ચિકિત્સા સહાયતા પ્રદાન કરી રહ્યા છીએ. રેલવે તરફથી સોરો મેડિકલ યુનિટમાં ઇજાગ્રસ્ત મુસાફરોને 50 હજાર રૂપિયાની વળતર રકમ આપવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.