વધુ એક નિર્માણાધીન પુલ પડ્યો, તેજસ્વી યાદવે જુઓ કોના પર ફોડ્યો ઠીકરો

બિહારના ખગડિયા જિલ્લામાં ગંગા નદી પર નિર્માણાધીન પુલ પડી જવાની ઘટનાના લગભગ ત્રણેક અઠવાડિયા જ થયા હશે કે હવે એવી જ વધુ એક ઘટના કિશનગંજ જિલ્લાથી સામે આવી છે. અહીં એક પુલનો હિસ્સો શનિવારે પડી ગયો. એક વરિષ્ઠ અધિકારીએ તેની જાણકારી આપી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની પરિયોજનના ડિરેક્ટર અરવિંદ કુમારે કહ્યું કે, રાજ્યની રાજધાની પટનાથી લગભગ 400 મીટર દૂર થયેલી આ ઘટનામાં મેચી નદી પર બનેલા પુલનો એક પિલર પડી ગયો.

અધિકારીએ કહ્યું કે, NH-327E પર નિર્માણાધીન પુલ પૂરો થવા પર કિશનગંજ અને કટિહારને જોડી દેશે. આ અકસ્માતમાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી. પુલનો હિસ્સો કેમ પડ્યો? તેના કારણોની તપાસ માટે એક્સપર્ટની 5 સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, પ્રથમ દૃષ્ટિથી આ પાઈલિંગ પ્રક્રિયા (Piling Process) દરમિયાન ભૂલથી થયું છે. આ દરમિયાન રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે પુલનું નિર્માણ એક કેન્દ્રીય પરિયોજનનાનો હિસ્સો હતો અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને કાર્યવાહી કરવાનો અધિકાર છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જેમની પાસે રોડ નિર્માણ વિભાગ પણ છે. તેમણે કહ્યું કે, પુલનું નિર્માણ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રની ‘ભારત માલા’ પરિયોજના હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેનું બિહાર સરકાર સાથે કોઈ લેવું-દેવું નથી. તે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે જેને સંબંધિત અધિકારીઓ કે એજન્સીઓને પુરસ્કૃત કે દંડિત કરવાનો અધિકાર છે. આ અગાઉ 4 જૂનના રોજ એક નિર્માણાધીન પુલ પડી ગયો હતો. આ પુલ ખગડિયા જિલ્લાને ભાગલપુર સાથે જોડાવા માટે બનવવામાં આવી રહ્યો હતો.

આ અકસ્માતમાં એક સિક્યોરિટી ગાર્ડનું મોત થઈ ગયું હતું. આ પુલને બનાવવા માટે નવેમ્બર 2019ની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી, પરંતુ 3 વર્ષ પૂર્ણ થવા છતા તે બનીને તૈયાર થઈ શક્યો નથી. બિહાર એન્જિનિયરિંગ સર્વિસ વિભાગે પુલ પડવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી. એસોસિએશને બિહારમાં બધા પુલોને સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવાની માગ કરી હતી. સાથે જ કહ્યું હતું કે, બધા પુલોનું નિર્માણ વહેલી તકે કરાવવામાં આવે. ભાગલપુરમાં પુલ પડ્યા બાદ RJD અને BJP વચ્ચે વાકયુદ્ધ થયું હતું. ભાજપના નેતા અમિત મલવિયએ ટ્વીટ કરી કે, આ ઘટના પર સંજ્ઞાન લેતા નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ તરત રાજીનામુ આપશે? એમ કરીને કાકા-ભત્રીજા બંને દેશ સામે ઉદાહરણ કયાં કરી શકે છે. RJDએ પણ તેનો તુરંત જવાબ આપતા અકસ્માત માટે ભાજપને જવાબદાર ઠેરવી હતી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.