વધુ એક નિર્માણાધીન પુલ પડ્યો, તેજસ્વી યાદવે જુઓ કોના પર ફોડ્યો ઠીકરો

બિહારના ખગડિયા જિલ્લામાં ગંગા નદી પર નિર્માણાધીન પુલ પડી જવાની ઘટનાના લગભગ ત્રણેક અઠવાડિયા જ થયા હશે કે હવે એવી જ વધુ એક ઘટના કિશનગંજ જિલ્લાથી સામે આવી છે. અહીં એક પુલનો હિસ્સો શનિવારે પડી ગયો. એક વરિષ્ઠ અધિકારીએ તેની જાણકારી આપી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની પરિયોજનના ડિરેક્ટર અરવિંદ કુમારે કહ્યું કે, રાજ્યની રાજધાની પટનાથી લગભગ 400 મીટર દૂર થયેલી આ ઘટનામાં મેચી નદી પર બનેલા પુલનો એક પિલર પડી ગયો.

અધિકારીએ કહ્યું કે, NH-327E પર નિર્માણાધીન પુલ પૂરો થવા પર કિશનગંજ અને કટિહારને જોડી દેશે. આ અકસ્માતમાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી. પુલનો હિસ્સો કેમ પડ્યો? તેના કારણોની તપાસ માટે એક્સપર્ટની 5 સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, પ્રથમ દૃષ્ટિથી આ પાઈલિંગ પ્રક્રિયા (Piling Process) દરમિયાન ભૂલથી થયું છે. આ દરમિયાન રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે પુલનું નિર્માણ એક કેન્દ્રીય પરિયોજનનાનો હિસ્સો હતો અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને કાર્યવાહી કરવાનો અધિકાર છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જેમની પાસે રોડ નિર્માણ વિભાગ પણ છે. તેમણે કહ્યું કે, પુલનું નિર્માણ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રની ‘ભારત માલા’ પરિયોજના હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેનું બિહાર સરકાર સાથે કોઈ લેવું-દેવું નથી. તે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે જેને સંબંધિત અધિકારીઓ કે એજન્સીઓને પુરસ્કૃત કે દંડિત કરવાનો અધિકાર છે. આ અગાઉ 4 જૂનના રોજ એક નિર્માણાધીન પુલ પડી ગયો હતો. આ પુલ ખગડિયા જિલ્લાને ભાગલપુર સાથે જોડાવા માટે બનવવામાં આવી રહ્યો હતો.

આ અકસ્માતમાં એક સિક્યોરિટી ગાર્ડનું મોત થઈ ગયું હતું. આ પુલને બનાવવા માટે નવેમ્બર 2019ની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી, પરંતુ 3 વર્ષ પૂર્ણ થવા છતા તે બનીને તૈયાર થઈ શક્યો નથી. બિહાર એન્જિનિયરિંગ સર્વિસ વિભાગે પુલ પડવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી. એસોસિએશને બિહારમાં બધા પુલોને સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવાની માગ કરી હતી. સાથે જ કહ્યું હતું કે, બધા પુલોનું નિર્માણ વહેલી તકે કરાવવામાં આવે. ભાગલપુરમાં પુલ પડ્યા બાદ RJD અને BJP વચ્ચે વાકયુદ્ધ થયું હતું. ભાજપના નેતા અમિત મલવિયએ ટ્વીટ કરી કે, આ ઘટના પર સંજ્ઞાન લેતા નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ તરત રાજીનામુ આપશે? એમ કરીને કાકા-ભત્રીજા બંને દેશ સામે ઉદાહરણ કયાં કરી શકે છે. RJDએ પણ તેનો તુરંત જવાબ આપતા અકસ્માત માટે ભાજપને જવાબદાર ઠેરવી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.