PM નરેન્દ્ર મોદીની મંત્રીઓને સલાહ-સરકારના કામકાજને ઘર-ઘર સુધી પહોંચાડે

બજેટ સત્ર અગાઉ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બેઠક થઇ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બધા મંત્રીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા મંત્રીઓને સલાહ આપી કે, કેન્દ્ર સરકારના કામ કાજ સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને કહ્યું કે, સરકારની યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે અને પોતાના મંત્રાલયના કામકાજનો પણ ખૂબ પ્રચાર કરાવમાં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને સલાહ આપી કે સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્રના મંત્રી પોતાના મંત્રાલયના કામકાજની જાણકારી લોકો સુધી પહોંચાડે. વડાપ્રધાને G20 કાર્યક્રમનો પણ જોરદાર પ્રચાર કરવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, G20ની અધ્યક્ષતા ભારત માટે મોટી ઉપલબ્ધિ છે. આ વાતને લોકો સુધી પહોંચાડવામાં આવે. તેને લઇને નક્કી કાર્યક્રમોમાં આગળ વધીને ભાગ લે અને તેનો પ્રચાર પણ થવો જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં દેશના સામાજિક, સાંસ્કૃતિક ઉપલબ્ધીઓનો પણ પ્રચાર કરવા કહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત પર ભાર આપ્યો કે, ગરીબ કલ્યાણ યોજનાઓની ઉપાલબ્ધીઓને લોકો સુધી સારી ઢંગે પહોંચાડવામાં આવવી જોઇએ. રિપોર્ટ્સ મુજબ, મંત્રી પરિષદની બેઠકમાં કેબિનેટ સેક્રેટરીએ વર્ષ 2014થી લઇને અત્યાર સુધી મોદી સરકારની યોજનાઓ અને બધા નિર્ણયોનું પ્રેઝન્ટેશન આપ્યું. સૂચના અને પ્રસરણ સચિવે સોશિયલ મીડિયા દ્વારા કેવી રીતે સરકારના કામકાજ અને નિર્ણયોનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવામાં આવે, તેના પર પ્રેઝન્ટેશન આપ્યું. DEPT સચિવે અત્યાર સુધીની બધી યોજનાઓની જાણકારી આપી. યોજનાઓ અને પરિયોજનાઓનું અપડેટ આપ્યું હતું કે, કામ ક્યાં સુધી પહોંચ્યું છે અને પરિયોજના ક્યારે પૂરી થશે.

બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને એમ પણ કહ્યું કે, તમારા બધાના કામકાજની જાણકારી મારી પાસે છે. તમે લોકોએ શું શું કામ કર્યા છે. મને બધી ખબર છે. હવે તમારા લોકો પાસે માત્ર એક વર્ષનો સમય રહી ગયો છે. વર્ષ બાદ લોકો તમારું આંકલન કરશે. મારું કામ તો અલગ છે, પરંતુ દરેક મંત્રાલયની પણ અમને જાણકારી આપવી પડશે. તો તમે પણ પોતાના કાયમનું આંકલન તેજ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના 9 વર્ષ પૂરા થવા પર મંત્રાલયને સારા કામકાજોનું આંકલન થવાની વાત કહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.