રાજ્યસભામાં બોલ્યા PM નરેન્દ્ર મોદી-જેટલું કીચડ ઉછાળશો, એટલા જ કમળ ખિલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિપક્ષના કેટલાક નેતા કીચડ ઉછાળી રહ્યા છે, પરંતુ તેઓ જાણતા નથી કે તેઓ જેટલું કીચડ ઉછાળશે, એટલા કમળ ખિલશે. આ દરમિયાન વિપક્ષના નેતા હોબાળો કરતા રહ્યા. વિપક્ષી નેતા ગૌતમ અદાણીના મુદ્દા પર તપાસ માટે JCBની રચના કરવાની માગ કરી રહ્યા છે. છેલ્લા દશકોમાં અનેક બુદ્ધિજીવીઓએ આ સદનથી દેશને દિશા આપી છે, દેશનું માર્ગદર્શન કર્યું છે. આ દેશમાં જે પણ વાત થાય છે, તેને દેશ ખૂબ ગંભીરતાથી સાંભળે છે.

તેમણે કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોનો વ્યવહાર અને વાણી ન માત્ર સદન, પરંતુ દેશને નિરાશ કરનારી છે. 60 વર્ષ કોંગ્રેસ પરિવારે ખાડા જ ખાડા કરી દીધા હતા. બની શકે તેમનો ઇરાદો ન હોય, પરંતુ તેમણે કર્યા. જ્યારે તેઓ ખાડા ખોદી રહ્યા હતા 6 દશક બરબાદ કરી ચૂક્યા હતા. ત્યારે દુનિયાના નાના-નાના દેશ પણ સફળતાના શિખરો સ્પર્શી રહ્યા હતા. અમારી સરકારની ઓળખ પોતાના પુરુષાર્થના કારણે બની છે. અમે સમસ્યાઓના નિદાન માટે સતત કામ કરીએ છીએ. સમસ્યાઓનું સ્થાયી સમાધાન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસના રાજ્યમાં તેનો અભાવ હતો. તેમણે બેન્કોના એકીકરણ એ ઇરાદાથી કર્યું હતું કે, ગરીબોને બેન્કોના અધિકાર મળે, પરંતુ આ દેશના અડધાથી વધુ લોકો બેંકના દરવાજા સુધી પણ પહોંચ્યા નહોતા. અમે સ્થાયી સમાધાન કાઢતા જનધન બેંક ખાતા ખોલ્યા. તેના દ્વારા દેશના ગામ સુધી પ્રગતિ લઈ જવાનું કામ થયું છે. જનધન, આધાર અને મોબાઈલ.. આ એ ત્રિશક્તિ છે, જેનાથી છેલ્લા કેટલાક વર્ષોમાં 27 લાખ કરોડ રૂપિયા DBTના માધ્યમથી સીધા હિતધારકોના ખાતામાં ગયા છે.

તેમણે કહ્યું કે, હવે જેમને આ પૈસા મળી શક્યા નથી, તેમનું બરાડા પાડવાનું સ્વાભાવિક છે. તેનાથી 2 લાખ કરોડ રૂપિયાથી વધુ રૂપિયા, જે કોઈ ઇકો સિસ્ટમના હાથમાં જઇ શકતા હતા તે બચી ગયા. વિકાસની ગતિ શું છે, નિયત શું છે, દિશા શું છે, પરિણામ શું છે? આ બધુ મહત્ત્વ રાખે છે. અમે જનતાની પ્રાથમિકતાઓ અને આવશ્યકતાઓના આધાર પર મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છીએ. દિવસ-રાત પોતાને ખપાવવા પડશે તો ખપાવીશું, પરંતુ દેશની આશાઓને ઠેસ નહીં પહોંચવા દઈએ. અમે વિકાસનું એક એવું મોડલ આપી રહ્યા છીએ, જેમાં હિત ધારકોને તેમના બધા અધિકાર મળે.

દેશ કોંગ્રેસને વારંવાર નકારી રહ્યો છે એ છતા કોંગ્રેસ પોતાનાઆ ષડયંત્રથી બહાર આવતી નથી. જનતા ન માત્ર તેમને જોઈ રહી છે, પરંતુ સજા પણ આપી રહી છે. દરેક યોજનાના જે લાભાર્થી છે તેમના સુધી તેમનો 100 ટકા લાભ કઈ રીતે પહોંચે અમે તેને સુનિશ્ચિત કરી રહ્યા છીએ. જો સાચી પંથ નિરપેક્ષતા છે તો એ જ છે અને અમારી સરકાર આ માર્ગે સતત આગળ વધી રહી છે. આ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા. તેમણે એક-એક કરીને ગણાવ્યા કે UPAના 10 વર્ષના કાર્યકાળમાં શું શું થયું અને ત્યારબાદ મોદી સરકારમાં શું શું કામ થયા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.